મૂળ ગુજરાતના નર્મદા જિલ્લાના રાજપીપળામાં જન્મેલા અને વર્ષોથી ઝિમ્બાબ્વેમાં સ્થાયી થયેલા ગુજરાતી બિઝનેસમેનને ગુજરાતનું માથું ઊંચું કર્યું છ. તાજેતરમાં ઝિમ્બાબ્વેમાં યોજાયેલી ચૂંટણીમાં મૂળ રાજપીપળામા જન્મેલા રાજેશકુમાર ઈન્દુકાંત મોદી(રાજ મોદી) વિજય મેળવ્યો હતો અને ઝિમ્બાબ્વેમાં ડેપ્યુટી મિનિસ્ટર ઓફ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ કોમર્સના મંત્રી બન્યા છે.
રાજ મોદીએ ઝિમ્બાબ્વેમાં સ્થાયી થયા બાદ અનેક સંઘર્ષ કરી રાજપીપળા જ નહી દેશનું નામ રોશન કરવા માટે અનેક સેવાકીય પ્રવુત્તિઓ કરી હતી. વિવિધ વ્યવસાયો સાથે સંકળાયેલા રાજ મોદી ઝિમ્બાબ્વેમાં લોકપ્રિયતા ધરાવે છે.
2018મા યોજાયેલી ચૂંટણીમાં જીત્યા બાદ તેઓ સેવારત હતા પણ હાલમાં તેમને મિનિસ્ટરીમાં સમાવેશ કરવામાં આવતા રાજપીપળા ખાતે આનંદ છવાયો હોત. હવે રાજપીપળા ખાતે તેમને બોલાવવાની હિલચાલ ચાલી રહી છે અને 28મી નવેમ્બરે રાજપીપળા મોઢ વણિક સમાજ દ્વારા તેમનું સન્માન કરવામાં આવશે. રાજ મોદીના સન્માન માટે રાજપીપળામાં અનેરો થનગનાટ જોવા મળ રહ્યો છે.
રાજ મોદીનો જન્મ ચોથી ફેબ્રુઆરી,1959માં થયો હતો. પત્ની સહિત ત્રણ બાળકો અને બે ગ્રાન્ડ સન છે. તેમણે ઝિમ્બાબ્વેની નાગરિકતા હાંસલ કરી હતી. રાજ મોદીને અનેક બિઝનેસ એવોર્ડ મળી ચૂક્યા છે. હાલ તેઓ આલ્કોહોલ બેવરેજીસના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમને ત્યાં 60 વધુ કામદારો છે.
આ ઉપરાંત સરકારમાં અનેક પદ અને જવાબદારી નિભાવી ચૂક્યા છે. કન્સ્ટ્રક્શનનો વ્યવસાય પણ કરે છે.