કોઇ ખોરાક કે અમુક દવાઓ (આયુર્વેદિક, એલોપથીક, હર્બલ કે હોમિયોપેથીકથી) તાત્કાલિક ભયંકર અસર (સીવીઅર રીએકશન) આવે અને મૃત્યુ થાય આવા દાખલા હમણાં ઘણા જોવા મળે છે. આવી અસરને એનાફીલેકટીક શોક કહે છે જેમાં દવા કે ખોરાક લીધાને ૫ મિનિટની અંદર શ્વાસ ના લેવાય, બી.પી. એકદમ ઓછું થઇ જાય, વ્યકિત બેભાન થઇ જાય, શરીર ઠંડું પડી જાય અને મૃત્યુ થાય.
૧. અજાણ્યો ખોરાક કે પ્રવાહી લેશો નહીં.
૨. તમે કોઇપણ દવા લો તે પહેલાં તમારા ડોકટરને તમને દવાઓ કે કયા ખોરાકની એલર્જી છે તે ખાસ કહેશો.
૩. જાહેરાત ખૂબ કરેલી હોય તેવી દવાઓ પણ લેવાનું ટાળજો.
૪. તમારા રોગ માટે કોઇએ કહ્યું અથવા તો સાંભળ્યું હોય માટે તરત જે તે દવા, પડીકાં કે નુસખાનો ઉપયોગ કરી તમારા શરીરને પ્રયોગશાળા બનાવશો નહીં.
૫. શરીરની રોગ પ્રતિકારક શકિત વધારવામાં તમને બહુ વાર નહીં લાગે. આ માટે નિયમિત કસરત કરવી પડશે. થોડું ખોરાકનું ધ્યાન રાખવું પડશે અને મનને શાંત રાખવું પડશે. જેવી રોગ પ્રતિકારક શકિત વધશે કે તરત એલર્જી ઓછી થઇ જશે.