નવી દિલ્હી : એક સમયે દેશના ટોચના ઉદ્યોગપતિઓમાં ગણાતા અનિલ અંબાણીની આર્થિક સ્થિતિ એવી બની ગઈ છે કે તેણે પોતાના વકીલોની ફી ભરવા માટે દાગીના વેચવા પડે છે. દેવાના બોજ હેઠળ અનિલ અંબાણીએ ખુદ યુકેની કોર્ટમાં આ વાત કહી હતી. તેણે કહ્યું કે તે સરળ જીવન જીવી રહ્યા છે અને તે એક જ કારનો ઉપયોગ કરે છે.
9.9 કરોડના ઘરેણાં વેચ્યા
અંબાણીએ કહ્યું કે આ વર્ષે જાન્યુઆરીથી જૂન વચ્ચે તેમણે 9.9 કરોડ રૂપિયાના ઘરેણાં વેચ્યા છે અને હવે તેમની પાસે એવું કાઈ બાકી નથી. જ્યારે તેમને લક્ઝરી કારોના કાફલા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, ‘આ બધી અફવાઓ મીડિયામાં આવી રહી છે. મારી પાસે ક્યારેય રોલ્સ રોયસ હતી નહીં. હમણાં હું એક જ કારનો ઉપયોગ કરી રહ્યો છું. ‘
પરિવારના સભ્યો ઉઠાવી રહ્યા છે ખર્ચ
અનિલ અંબાણીએ યુકેની એક અદાલતમાં કહ્યું કે તેના ખર્ચ ખૂબ ઓછા છે, જે તેની પત્ની અને પરિવાર સહન કરે છે. તેની પાસે કોઈ ચમકતી જિંદગી નથી અથવા આવકનો બીજો કોઈ વિકલ્પ નથી. તેમણે કહ્યું હતું કે તે ઘરેણાં વેચીને કાનૂની ખર્ચ એકત્રિત કરી રહ્યો છે અને અન્ય ખર્ચ માટે, અન્ય સંપત્તિ વેચવાની કોર્ટની પરવાનગી લેવી પડશે.