ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પરિણામ અાવ્યા પછી અત્યારે તો ગુજરાત CM અંગે અટકળો તેજ બની છે. કેટલાક સમયથી સતત મનસુખ માંડવિયા, સ્મૃતિ ઇરાની, નીતિન પટેલ, પરસોત્તમ રૂપાલા, આરસી ફળદુ અને વજુભાઈ વાળાનો સમાવેશ થાય છે. વજુભાઈ વાળા હાલ કર્ણાટકના રાજ્યપાલ છે. વજુભાઈ વાળાને તાત્કાલીક દીલ્હી બોલાવાયા છે.અાજે સાંજે મવડી મંડળ સાથે મુલાકાત કરશે.
અાગામી વર્ષે કર્ણાટકમાં અાવનારી ચૂંટણીમાં જો વજુભાઈ વાળા રાજ્યપાલ બની રહે તો રાજકારણમાં અાડકતરી રીતે ફાયદો મળી રહે.પણ દેખિતી રીતે તેનો ફાયદો લે તો, રાજ્યપાલપદની ગરીમા પર પ્રશ્નો ઉભા થાય.અન્ય બાજુ અત્યારસુધી રાજ્યપાલપદ પર વજુભાઈ વાળાએ ભાજપ તરફી નેટવર્ક પ્રસ્થાપિત કરી દીધુ હોય અને એનો ફાયદો લેવો હોય તો વજુભાઈને કર્ણાટકના રાજ્યપાલ પદ પરથી હટાવી અાવનાર ચૂંટણીમાં તેનો સિધો ફાયદો લઈ શકાય. અામપણ, હાલની કોંગ્રેસ સરકાર અગાઊ ભાજપની સરકાર કર્ણાટકમાં હોવાથી ભાજપને સત્તા હાંસલ કરવી અઘરી નહી પડે.
ગુજરાતના મુખ્યમંત્રીના પદની વાત કરીએ તો, હાલ ભાજપને નિર્વિવાદીત અને વહીવટી કુશળ મુખ્યમંત્રીની નિમણુંક કરવી અનિવાર્ય છે.નાણામંત્રાલય સંભાળી ચુકેલા વજુભાઈ વાળા અા પદ માટે યોગ્ય છે.
ગુજરાતમાં ચૂંટણી પૂર્વે કારડીયા રજપુતોમાં રોષ ફાટી નીકળ્યો હતો. સૌરાષ્ટ્રના રાજપુતોને સંતોષવામાટે કદાચ વજુભાઈ વાળાને CM બનાવાય. જોકે વજુભાઈ વાળાને CM બનાવાશે તો તેમને ઉમરની મર્યાદા નડશે. સંજય જોષી ગુજરાતના રાજકારણમાં હવે સક્રિય થયા છે. સંજય જોષીના નામની ચર્ચાથી તેમના રાજકીય ટેકેદારો મૂડમાં અાવી ગયા છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.