શ્રી મતી એ.પી. પટેલ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ સંચાલીત શ્રી મતી આર.આર. મહિલા આર્ટસ એન્ડ કોર્મસ કોલેજ સમસ્ત ગઢડા ગ્રામજનોના સહયોગથી રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત અંધ શ્રધ્ધા નિવારણનો ભારત જન વિજ્ઞાનજાથાનો ચમત્કારોથી ચેતો લોક જાગૃતિ કાર્યક્રમ સફળતાથી સંપન્ન થયો હતો.
જાથાના ચેરમેન અને એડવોકેટ જયંત પટેલે પોતાની આગવી શૈલીમાં વ્હેમ, અંધશ્રધ્ધા ચમત્કારો ઉપર વૈજ્ઞાનિક સમજ આપી હતી. ભૂત, પ્રેત, મામો, જીનાથ, ચુડેલ, ડાકણ, મેલીવિદ્યા, આસુરી શક્તિનું અસ્તીત્વ જ નથી તેથી ભય કાઢીનાખવા અનુરોધ કર્યો હતો.
વાસ્તુશાસ્ત્ર, ફેંગસૂઇ, ટેરાશાસ્ત્ર, અંક, છાયાશાસ્ત્ર, જ્યોતિશાસ્ત્ર, વગેરેનો વૈજ્ઞાનિક રીતે તપાસ કરતા અવૈજ્ઞાનિક અને કપોળ કલ્પિત સાબિત થઇ છે. નવિ પેઢીએ દૈનિક રાશિ ફળ કથનોથી દૂર રહેવો જોઇએ.
વૈજ્ઞાનિક પ્રયોગોમાં એકના ડબલ, હાથ માંથી કંકુ નિકળવુ, ભસ્મ, લોહી નિકળવુ, નજરબંધી, ઉકળતા તેલમાં હાથથી પૂરી તળવી, શ્રી ફળમાંથી ચૂંદળી નીકળવી, અગ્નિનું આપોઆપ સળગવુ, હાથ માંથા ઉપર દિવા રાખવા વગેરેનું નિર્દશન કરી સ્થળ ઉપર જ લોકોને શિખડાવવામાં આવ્યુ હતુ.