કોરોના જંગ માં લડત આપી રહેલા વોરિયર્સ માં ભરૂચ જિલ્લા ના 108 ની ટિમ માં રોઝા હોવાછતાં મુસ્લિમ કર્મચારીઓ ખડેપગે ફરજ બજાવી રહયા છે ભરૂચ જીલ્લાની અંદર જીવીકે ઈએમ આર આઈ ૧૦૮ ઇમરજન્સી સેવાના કર્મચારીઓ દિવસ અને રાત લોકોની સેવા માટે કાર્યરત છે તેમાં પણ વિશેષ હાલમાં રમજાનનો પવિત્ર માસ શરૂ થયેલ છે આ પવિત્ર માસની અંદર મુસ્લિમ ભાઈઓ અલ્લાહની ઇબાદત કરી માનવ કલ્યાણની પ્રાર્થના કરતા હોય છે તેના જ ભાગરૂપે ભરૂચ જિલ્લામાં ૧૦૮ ઈમરજન્સી સેવામાં કાર્યરત મુસ્લિમ ભાઈઓ પણ આ પવિત્ર રમજાન માસમાં પોતાના સ્વાસ્થ્યની ચિંતા કર્યા વગર કોરોના રૂપી મહામારી સામે લડત આપવા તેમજ લોકોનો જીવ બચાવવા માટે કટિબદ્ધ થયા છે આ પવિત્ર માસમાં જ્યારે નમાઝ પડવાનું જવાનું હોય ત્યારે તેઓ મસ્જિદની અંદર જાય છે પરંતુ હાલની પરિસ્થિતિ જોતા તેઓ પોતાના કાર્યસ્થળ પર જ નમાજ અદા કરે છે અને માનવજીવન બચાવવા સંકલ્પ કરેલ છે ૧૦૮ ઈમરજન્સી સેવામાં કાર્યકર્તા તમામ કર્મચારી મિત્રોનું હાલ એક જ ધર્મ છે ભરૂચ જિલ્લા ના લોકોના સ્વાસ્થ્ય સારું રહે તે માટે કટિબદ્ધ રહેવું અને લોકોને કોઇપણ મુશ્કેલી જણાય તો તરત જ તેમની વહારે જવું અને તેમના જીવ બચાવવા આ ઉમદા કામગીરી ને ભરૂચ જિલ્લાના ૧૦૮ ઇમરજન્સી સર્વિસ ના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકર તેમજ જિલ્લાના સુપરવાઇઝર અશોક મિસ્ત્રી એ કર્મચારીઓની કાર્ય નિષ્ઠાને બિરદાવી હતી.