મુંબઇ: સોહરાબુદ્દીન શેખ અને તુલસીરામ પ્રજાપતિ એન્કાઉન્ટર કેસમાં સિનિયર આઇપીએસ અધિકારીઓને છોડી દેવાના ટ્રાયલ કોર્ટના આદેશને પડકારવામાં કેમ નથી આવ્યો એવો પ્રશ્ર્ન મુંબઇ હાઇ કોર્ટે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)ને પૂછ્યો હતો. સોહરાબુદ્દીનના ભાઇ રુબાબુદ્દીન શેખની અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે સીબીઆઇ પણ ટ્રાયલ કોર્ટના આદેશ માટે જવાબદાર છે. રુબાબુદ્દીને ત્રણ આઇપીએસ અધિકારીને છોડી મૂકવાના આદેશને પડકારતી અરજી કરી હતી. ઑગસ્ટ, ૨૦૧૬ અને ઑગસ્ટ, ૨૦૧૭માં આઇપીએસ અધિકારી રાજકુમાર પંડ્યા, ડી. જી. વણઝારા અને દિનેશ એમ. એન. ને છોડી મૂકવાના ટ્રાયલ કોર્ટના આદેશને પડકારવા સીબીઆઇએ વિચાર કર્યો છે કે નહીં એવો પ્રશ્ર્ન મુંબઇ હાઇ કોર્ટે કર્યો હતો.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.