અમદાવાદ: એક અત્યંત મહત્વના સમાચાર આવી રહ્યા છે તે મુજબ કર્ણાટકના બેંગાલુરુથી 90 કિલોમીટર દૂર આવેલ જે ઇગલટોન રિસોર્ટમાં ગુજરાત કોંગ્રેસના 42 ધારાસભ્યોને રાખવામાં આવ્યા છે તેમાં આજે સવારે આવકવેરા વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, સત્યડે ડોટકોમ ને મળેલી માહિતી મુજબ જે જગ્યા એ ગુજરાત કોંગ્રેસના નેતાઓ રાખવામાં આવ્યા છે ત્યાં દરોડા પડ્યા છે જેથી સબંધીતો માં ટેન્શન નો માહોલ છવાયો છે.ગોપનીય સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ કર્ણાટકના ઉર્જામંત્રી ડી. કે. શિવકુમારના ઘર અને તેમના ઇગલટોન રિસોર્ટ પર આવકવેરા વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી 8 ઓગસ્ટે યોજાવાની છે તે શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાં બળવો કરી પક્ષ છોડી દીધો અને તેમની સાથે શંકરસિંહના પુત્ર મહેન્દ્રસિંહના વેવાઇ કે જેઓ સિદ્ધપુરથી કોંગ્રેસના ધારાસભ્ય હતાં તેઓએ પક્ષ અને ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી બળવંતસિંહ ભાજપમાં જોડાયા અને ભાજપના રાજ્યસભાના ઉમેદવાર બન્યાઅને કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ પણ કોંગ્રેસ અને ધારાસભ્ય પદેથી રાજીનામા આપી દીધા બાદ આ તમામ રાજકીય ગતિવિધિઓ વચ્ચે ગુજરાત કોંગ્રેસ દ્વારા 42 ધારાસભ્યોને ગુજરાતથી બહાર બેંગાલુરુમાં ઇગલટોન રિસોર્ટમાં લઇ જવાયા છે. આ રિસોર્ટ કર્ણાટકમાં કોંગ્રેસની સરકારમાં ઉર્જામંત્રી ડી. કે. શિવકુમારનો છે. જેથી ત્યા આવકવેરા વિભાગના દરોડા પડતા ભૂકંપ મચી ગયો છે.
આવકવેરા વિભાગ દ્વારા ગુજરાત કોંગ્રેસના નેતાઓ જે રૂમમાં રોકાયા છે તે રૂમની પણ તપાસ કરવામાં આવતા નેતા લોકો માં ભારે ઉથલ પાથલ મચી ગઇ છે, સત્ય ડે ડોટ કોમ ને મળેલી વિગતો માં રિસોર્ટ બહાર થી ભારે દોડધામ જણાતી હતી અને સબંધીતો માં આ વાત વાયુવેગે પ્રસરી જતા કોંગ્રેસ ના વર્તુળો માં સવાર થીજ ફોન વ્યસ્ત જણાયા હતા.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.