બીએસએફ દ્વારા સરહદ નજીકના પાકિસ્તાનના સૈનિકો અને પૂર્વ સૈનિકોના ઘરો અને ખેતરો પર કરવામાં આવેલા ફાયરિંગ બાદ પાકિસ્તાન હવે શસ્ત્રવિરામની માંગણી કરવા લાગ્યું છે. ગત મહિને ભારતીય જવાનોની હત્યા, ગ્રામીણો પર ફાયરિંગ અને ગામડાઓ પર ગોળાબારી કરનારા પાકિસ્તાને સ્નાઈપર્સનો ઉપયોગ કર્યો હતો જેને જડબાતોડ જવાબ આપવા માટે ‘ઓપરેશન અર્જુન’ શરૂ કરવામાં આવ્યું હતું. ઓપરેશન અર્જુન અંતર્ગત સરહદ પર પાકિસ્તાનને જવાબ આપવાના કારણે પાકિસ્તાને 3 દિવસ પહેલા જ યુદ્ધવિરામની અપીલ કરવી પડી. બીએસએફએ વિશેષ સ્વરૂપે પાકિસ્તાનના પૂર્વ સૈનિકો, આઈએસઆઈ અને પાકિસ્તાની રેન્જર્સના અધિકારીઓના ઘરો અને ખેતરોને નિશાન બનાવ્યાં, આ લોકો ઘૂસણખોરી અને ભારત વિરોધી અભિયાનોમાં ત્રાસવાદીઓને મદદ કરી રહ્યાં હતાં. ભારતીય કાર્યવાહી બાદ પાકિસ્તાન રેન્જર્સના પંજાબ ડીજી મેજર જનરલ અજગર નવીદ હાયત ખાને બીએસએફ ડાઈરેક્ટર કે કે શર્માને સપ્તાહમાં બે વાર ફાયરિંગ રોકવાની અપીલ કરી. શર્માને પાકિસ્તાન તરફથી પહેલો ફોન 22 સપ્ટેમ્બરના રોજ અને બીજો ફોન 25 સપ્ટેમ્બરના રોજ આવ્યો હતો. ઓપરેશન અર્જુન અંતર્ગત બીએસએફએ નાના, મધ્યમ અને એરિયા વેપન્સનો ઉપયોગ કર્યો. જેનાથી પાકિસ્તાનને ભારે નુક્સાન થયું. તેમાં પાકિસ્તાન રેન્જર્સના સાત સૈનિકો અને 11 નાગરિકો માર્યા ગયાં. અધિકારીઓએ જણાવ્યું કે પાકિસ્તાન તરફથી થઈ રહેલા સતત ફાયરિંગના કારણે બીએસએફએ પશ્ચિમી સરહદ પર પોતાના ઓપરેશનને ફરીથી તૈયાર કર્યું.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.