પાકિસ્તાનમાં આગામી ડેવિસ કપ રમવા જવા માટે ભારતીય ટેનિસ ખેલાડીઓ રોમાંચિત છે પણ તેઓ ઇસ્લામાબાદ પહોંચે તે પહેલા ત્યાં સુરક્ષાની તમામ તકેદારીના પગલાં લેવાયા હોવાની ખાતરી તેમણે માગી છે. પાકિસ્તાનના પાટનગરમાં આગામી 14-15 સપ્ટેમ્બરે રમાનારા ડેવિસ કપ માટે તમામ ખેલાડીઓ ઉપલબ્ધ હોવાનું જણાવાયું છે.
નોન પ્લેઇંગ કેપ્ટન મહેશ ભૂપતિના નેજા હેઠળ ઍકમાત્ર સિંગલ્સ ખેલાડી નંબર વન પ્રજનેશ ગુણેશ્વરની આગેવાનીમાં ટીમ પસંદ કરવામાં આવે તેવી સંભાવના છે. આ ટીમ 55 વર્ષ પછી પાડોશી દેશના પ્રવાસે જનારી પ્રથમ ટેનિસ ટીમ બનશે.
ખેલાડીઓ સાથે નજીકથી જોડાયેલા ઍક સૂત્રઍ કહ્યું હતું કે અમને ચિંતા નથી, અમે તમામ ઉત્સાહી અને રોમાંચિત છીઍ પણ અમને ખાતરી જોઇઍ છે. ભૂપતિઍ પણ ઓલ ઇન્ડિયા ટેનિસ ઍસોસિઍશન (ઍઆઇટીઍ)ને આ મામલે પત્ર લખીને પ્રવાસે જનારી ટીમની સુરક્ષા અને સલામતીની ખાતરી માગી હોવાનું માનવામાં આવે છે. ઍઆઇટીઍના મહામત્રી હિરણ્મય ચેટરજીઍ જણાવ્યું હતું કે કેપ્ટન દ્વારા જે સવાલ ઉઠાવાયા છે તે મામલે તેને ખાતરી આપી દેવામાં આવી છે.