રીના બ્રહ્મભટ્ટ
પાટીદાર અનામત આંદોલન બાદ સ્થિતિમાં તેવો બદલાવ આવ્યો કે, રાજકીય સમીકરણો ધરમૂળથી બદલાઈ ગયા. અને જાતિવાદ ચરમ સીમા એ પહોંચ્યો. અને રાજકીય સ્થિતિ અને પ્રભાવ જોઈને અન્ય જ્ઞાતિઓ પોતે રહી જશે..ના ડરથી ઠેર- ઠેર અનામતની માંગ કરવા લાગી. જેને આજે હાલત તે છે કે, પાટીદારમાં કેટલાક લોકો પોતે જ રાજકીય ગ્રુપ બનાવવાના ફિરાકમાં છે. ત્યારે અહીં તે નોંધવું જરૂરી છે કે, અનામતની માંગણીઓ બાદ ઓબીસી અને દલિતો ની એવી ધરી રચાઇ કે આ મતબેન્કને કેશ કરવા ભાજપ અને કોંગ્રેસ એમ બંનેમાં સતત હોડ અને કાવતરા ચાલી રહ્યા છે. અને આ તમામ કશમકશ વચ્ચે કોંગ્રેસ એની પરંપરાગત લઘુમતી કોમને ભુલ્યુ છે. તો ભાજપનું ધ્યાન પણ પાટીદારો તરફ કૈક વધારે છે.
વેલ ગુજરાતની અનેક બેઠકો પર પાટીદારોની દબદબો હોવાથી બહુ સ્વબાહુવિકપણે બંને પાર્ટીઓ મતો બટોરવા હોડ પર હોડ અને દાવ પાર દાવ ખેલી રહ્યા છે. અને કોંગ્રેસ પણ મોટી મતબેંકની લાલચમાં લઘુમતી મતદારોને આકર્ષવા કોઈપણ પ્રકારની જાહેરાત કરી નથી. તો ભાજપે પણ ખાસ રસ દાખવ્યો નથી. અને એની પાછળનું કારણ પણ પાટીદાર મતબેન્ક જ છે.
જો કે, 2011 ની મોદીએ પોતાની કટ્ટરતાવાદી હિન્દૂ નેતાની ઇમેજ બદલવા અલ્પસંખ્યક મુસ્લિમોને આકર્ષવા “સદભાવના મિશન ” શરુ કર્યું હતું. પરંતુ 2012 ની ચૂંટણીમાં એકપણ મુસ્લિમ ઉમેદવારનો ટિકિટ નહિ આપતા આ મિશન આપોઆપ ફેલ નીવડ્યું હતું. તેમજ બીજેપી એ અત્યાર સુધીમાં ખાસ તો ગુજરાતમાં ફકત એકવાર જ મુસ્લિમોને ટિકિટ આપેલ છે. તો બીજી તરફ .કેન્દ્રમાં સત્તામાં આવ્યા બાદ ભાજપ દ્વારા દેશમાં જે પણ પગલાં ભરવામાં આવ્યા એમાં મુસ્લિમોને પણ “સૌનો સાથ સૌનો વિકાસ ” દ્વારા ખુશ રાખવાની કોશિશ કરાઈ..તો મુસ્લિમ સ્ત્રીઓને ટ્રિપલ તલાક માં થી મુક્તિ આપવામાં આવી. તો સામે છેડે કોંગ્રેસે અત્યાર સુધી મુસ્લિમ તુષ્ટિકરણની નીતિ અપનવી મુસ્લિમોની લાગણીઓ પંપાળવાની નીતિ અપનાવી.જેનાથી મુસ્લિમોને લાંબા ગાળે સમજાયું કે એમને કોઈ ફાયદો થયો નથી. તેથી લઘુમતીઓને પણ હવે કોંગ્રેસમાં ખાસ રસ નથી.
તેવામાં સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે કે, બીજેપીના અલ્પસંખ્યક મોરચા એ આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેટલીય સીટોની માંગણી કરી છે. બીજેપી અલ્પસંખ્યક મોરચાના પ્રભારી મહેબૂબ અલી ચિસ્તી એ જણાવ્યું છે કે, 2015ન ની સ્થાનિક ચૂંટણીઓમાં લગભગ 350 જેટલા મુસ્લિમ ઉમેદવારો એ જીત મેળવી હતી. અને આ જીતને ધ્યાનમાં રાખીને મુસ્લિમો ટિકિટની માંગણી કરી રહ્યા છે.
મુસ્લિમ નેતાઓ જમાલપુર-ખાડિયા, વેજલપુર, વાંકાનેર, ભુજ અને અબડાસા સીટો માટે ટિકિટની માંગણી કરી છે. વધુમાં 61 % મુસ્લિમોની વસ્તી ધરાવતા ખાડિયા-જમાલપુર સીટ માટે બિલ્ડર ઉસ્માન ઘાંચીએ અરજી કરી છે. તેમજ ઉસામાનભાઈની ફેવરમાં 5 મૌલવીએ સહીઓ કરી છે , તો તેઓ જગન્નાથ મંદિરના મહન્ત સાથે સંપર્કમાં હોવાની પણ ચર્ચા છે.. જો કે, તેઓ બીજેપી સાથે પાછલા 10 વર્ષથી જોડાયેલા છે. અને આ સીટ જીતવા તેઓ મક્કમ નીર્ધાર ધરાવે છે.
તેમજ એક પૂર્વ આઈપી એસ અધિકારી પણ ભાજપની ટિકિટ માંગી રહ્યા છે , કે જેઓ પાછળ 9 વર્ષથી પાર્ટી સાથે જોડાયેલા છે. અને ગુજરાત વક્ફ બોર્ડના ચેરમેન રહી ચુક્યા છે.. પરંતુ અહીં તે નોંધવું જરૂરી છે કે, મતોના ખેલાઈ રહેલા રાજકારણમાં આ વખતે બંને પક્ષ લઘુમતીઓ ને ભૂલી રહ્યા છે. તો કોંગ્રેસની અત્યાર સુધીની ઇમેજ લઘુમતી તરફી રહી છે. પણ હવે એ પણ કદાચ ઇમેજ બદલવાના મૂડમાં છે. અને સોફ્ટ હિન્દુત્વ અપનાવી પોતાની જૂની ઈમેજમાં થી બહાર આવવા માંગે છે.