ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર પર હવે મંથન શરૂ થશે. આજથી પ્રદેશ કોંગ્રેસના નેતા અને પ્રભારી મહેસાણામાં પરાજયનું પોસ્ટમોર્ટમ કરવાના છે. મહેસાણાની એક હોટલમાં કોંગ્રેસના નેતાઓની બેઠક યોજાશે. આ બેઠકમાં પ્રદેશ કોંગ્રસ પ્રભારી અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી જિલ્લા મુજબ પરિણામોનું ચિંતન કરશે. બંને નેતાઓ 17 જિલ્લાના પરિણામોને લઈને તે વિસ્તારના કોંગી નેતાઓ સાથે વન-ટુ-વન ચર્ચા કરશે. અશોક ગેહલોત સહપ્રભારી અને જીલ્લા પ્રભારી-જીલ્લા પ્રમુખો પાસેથી પણ ગ્રાઉન્ડ રિપોર્ટ લઇ અભિપ્રાય લેશે.
કોંગ્રેસને કયા કયા ફેક્ટર નડી ગયા, કોણે પક્ષવિરોધી પ્રવૃતિ કરી, અપક્ષો કેટલી હદે કોંગ્રેસની જીતમાં અવરોધરૃપ બન્યાં ? આ તમામ મુદ્દે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવશે. કોંગ્રેસના નેતાઓ શક્તિસિંહ ગોહિલ, અર્જૂન મોઢવાડિયા, સિધ્ધાર્થ પટેલ, તુષાર ચૌધરી પણ હારી જતાં ખુદ કોંગ્રેસ હાઇકમાન્ડ ચિંતિત છે. ખાસ કરીને જે કોંગ્રેસના નેતાઓએ ટિકિટ માટે ભલામણ કરી હતી તેનો પણ ખુલાસો પૂછવામાં આવશે. કોંગ્રેસના નેતાઓ ચૂંટણીમાં નિષ્ક્રિય રહ્યાં તેની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. આમ, કોંગ્રેસ હારનું પોસ્ટમોર્ટમ કરી હારના કારણો જાણી હવે લોકસભાની ચૂંટણીમાં ભાજપ સામે વધુ સંગઠિત થઇને પ્રદર્શન કરવા તૈયારી કરશે.
શરૂઅાતના બે દિવસ સ્થાનીક કાર્યકરો પાસે અભિપ્રાય મેળવી રિપોર્ટ તૈયાર કરાશે. 22 તારીખે રાહુલ ગાંધી ગુજરાત અાવશે અને બેઠકમાં ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. અા રિપોર્ટ તેમને સોંપવામાં અાવશે.અા બેઠકમાં વિપક્ષના નેતા મુદે પણ ચર્ચા કરાશે.તમામ જીતેલા 80 ધારાસભ્યો સાથે વનટુવન મુલાકાત કરશે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.