કોરોનાની સારવાર પછી વાઇરસ લાંબા સમય સુધી ફેફસાંમાં છુપાઈને રહી શકે છે. ચાઇનીઝ સંશોધકોના જણાવ્યા મુજબ, ચાઇનામાં એવા પણ કિસ્સાઓ હતા જ્યારે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયાના 70 દિવસ પછી પણ દર્દીમાં કોરોના પોઝિટિવ મળ્યો. સાઉથ કોરિયામાં સારવાર બાદ 160 લોકોનો કોરોના પોઝિટિવ મળ્યો. આવાજ કેસો ચીન, મકાઉ, તાઇવાન, વિયેતનામમાં પણ નોંધાયા છે. કોરિયા સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શનના ડાયરેક્ટર જિયોન્ગ યૂં-કિયોન્ગનું કહેવું છે કે, કોરોના દર્દીને ફરીથી ચેપ લગાડવાને બદલે ફરીથી સક્રિય થઈ શકે છે.
કોરોના વાઇરસ ફેફસાંની અંદર ઊંડાણમાં રહી શકે છે અને એવું પણ બને છે કે તે ટેસ્ટિંગમાં ન પણ પકડાય. મૃત્યુ પછી મહિલાના પોસ્ટમોર્ટમ દરમિયાન ડોકટરોને લિવર, હાર્ટ, આંતરડા અને બોન-મેરોમાં કોરોના વાઇરસ મળ્યો નથી, પરંતુ ફેફસામાં વાઇરસના સ્ટ્રેન મળ્યા જ્યારે તેને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપથી જોવામાં આવ્યો ત્યારે કોરોના વાઇરસ હોવાની પુષ્ટિ થઈ. અત્યારે થઈ રહેલા ટેસ્ટિંગમાં સેમ્પલ ફેફસાંના ઊંડાણમાંથી નથી લેવામાં આવતા. તેથી, રિપોર્ટ નેગેટિવ આવે છે.