કોરોના માટે કેટલા સેમ્પલ લીધા, કેટલા નેગેટીવ આવ્યા, જાણો જ્યંતિ રવિ શું કહે છે?
ગાંધીનગર– દેશ પ્રવાસ કરીને ગુજરાતમાં આવ્યા હોય તેવા નાગરિકોએ રાજ્ય તંત્ર કેસ્થાનિકતંત્રને જાણ કરવાની રહેશે તેવી અપીલ કરતા આરોગ્ય વિભાગના અગ્ર સચિવડૉ.રવિએ કહ્યું હતું કે, આવા નાગરિકો જેના–જેના સંપર્કમાં આવ્યા હોય તે અંગે સ્થાનિક તંત્રદ્વારા તપાસ કરવામાં આવી રહી છે, જેમાં પોલીસ તંત્રનો પણ સહયોગ લેવામાં આવી રહ્યો છે.
રાજ્યમાં પાંચ કોવિડ હોસ્પિટલ તૈયાર કરવાની કામગીરી અંતિમ તબક્કામાં છે. આજેદિલ્હીખાતે યોજાયેલી હાઈ પાવર બેઠકમાં પણ ગુજરાત રાજ્યની આ કોવિડ હોસ્પિટલનોઉલ્લેખથયો હતો અને આ કોવિડ હોસ્પિટલ ઊભી કરવાના નિર્ણયની વિશેષ નોંધ લેવામાંઆવી હતી.
તે ઉપરાંત તકેદારીના ભાગરૂપે રાજ્યના તમામ જિલ્લાઓમાં ૫૦ બેડની ખાનગી હોસ્પિટલઅને૫૦ બેડની સરકારી હોસ્પિટલને વેન્ટિલેશન સહિતની સુવિધાઓ સાથે સજ્જરાખવાનીકામગીરી પણ અંતિમ તબક્કામાં છે.
જિલ્લા કલેક્ટરોને આ કામગીરી કરવા સૂચના આપી દેવાઇ હતી, તે ઉપરાંત આકામગીરીનુંસંપૂર્ણ સુપરવિઝન રાજ્યના બે સિનિયર આઈએએસ અધિકારીઓને સોંપવામાંઆવ્યું છે. બંને અધિકારીઓને ૧૫–૧૫ જિલ્લાઓના સુપરવિઝનની જવાબદારી સોંપવામાંઆવી છે.
અત્યાર સુધીમાં કુલ ૧૨૨૪ સેમ્પલ લેવામાં આવ્યા છે તે પૈકી ૧૧૭૭ ટેસ્ટ કરવામાં આવ્યા, જેમાં ૬૩ પોઝિટીવ અને ૧૧૧૪ નેગેટીવ રિપોર્ટ આવ્યા છે. જ્યારે ૪૭ ટેસ્ટ હજુ પેન્ડિંગ છે.
નોંધનીય બાબત એ છે કે, અમદાવાદના એસ.વી.પી હોસ્પિટલ ખાતે દાખલ કોરોનાપોઝિટીવમહિલા દર્દીના રિપોર્ટ નેગેટીવ આવતા તેણીને હોસ્પિટલમાંથી રજા આપી ૧૪ દિવસહોમકવોરન્ટાઈન રહેવા સૂચના આપવામાં આવી છે. એટલે કે એક દર્દી કોરોનાથી રિકવરીમેળવીનેસાજા થઈને ઘરે પરત ફર્યા છે.
થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓને લોકડાઉનની સ્થિતિ દરમિયાન અગવડતા ન પડે તે માટેગુજરાતરાજ્ય રેડક્રોસ સોસાયટીના સહયોગથી લોહી સહિતની તમામ જરૂરી સુવિધાઓ ‘ઓનવ્હીલ‘ પૂરી પાડવામાં આવશે.