ગાંધીનગર સચિવાલયમાં ખળભળાટ વ્યાપી ગયો છે. આરોગ્ય અગ્ર સચિવ મનોજ અગ્રવાલ કોરોનાની ઝપટમાં આવ્યા બાદ વધુ ચાર આઈએએસ અધિકારીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. સચિવાલયમાં આના કારણે ભારે ગભરાટનું વાતાવરણ નિર્માણ થઈ જવા પામ્યું છે.
જે અધિકારીઓ કોરોનાની ઝપટમાં આવ્યા છે તેમાં આરોગ્ય કમિશનર જય પ્રકાશ શિવહરે, પ્રિન્સીપાલ સેક્રેટરી જેપી ગુપ્તા, ટુૂરિઝમ સેક્રેટરી હરીત શુકલા, મ્યુનિસિપાલિટી કમિશનર રાજકુમાર બેનીવાલનો સમાવેશ થાય છે.