નાની ઉંમરમાં કોર્પોરેટ જગતની ઊંચાઈએ પહોંચેલા દિગ્ગજ ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીને ચૂપચાપ કામ કરવાનું પસંદ હતું. તેઓ હંમેશા લાઈમલાઈટથી દૂર રહેતા હતા. સાયરસ મિસ્ત્રી મૃદુભાષા હોવાની સાથે કોઈપણ બાબતે સ્પષ્ટ બોલવાનું પસંદ કરતા હતા. મહારાષ્ટ્રના પાલઘરમાં રવિવારે એક માર્ગ અકસ્માતમાં તેમના મૃત્યુ બાદ વેપાર જગતને મોટું નુકસાન થયું છે.
તેમના જીવન સાથે જોડાયેલા કેટલાક તથ્યો આ પ્રમાણે છે.18.5 ટકાની સૌથી મોટી સિંગલ ભાગીદારીસાયરસ મિસ્ત્રી ટાટા ગ્રૂપની પ્રતિનિધિ કંપની ટાટા સન્સના છઠ્ઠા અને સૌથી નાના ચેરમેન રહ્યા હતા. વર્ષ 2012માં જ્યારે તેઓ અધ્યક્ષ બન્યા ત્યારે તેઓ માત્ર 44 વર્ષના હતા. ટાટા પરિવારના બહારના તેઓ બીજા વ્યક્તિ હતા, જેમને ટાટા સન્સના ચેરમેન બનાવવામાં આવ્યા હતા.
મિસ્ત્રીએ ટાટા સન્સના બોર્ડમાં તેમના પિતા પલોનજી શાપૂરજીની જગ્યા લીધી હતી, તેઓ કંપનીમાં સૌથી વધુ 18.5 ટકા હિસ્સો ધરાવતા હતા.NPA માંથી છૂટકારો મેળવવા માટે લીધા મોટા પગલાસાયરસ મિસ્ત્રીએ ટાટા પાવર અને ટાટા એલેક્સીના બોર્ડમાં ડિરેક્ટર તરીકે પણ સેવા આપી હતી. ટાટા સન્સના ચેરમેન તરીકે મિસ્ત્રીએ નફાકારકતા અને ટકાઉપણું પર ભાર મૂક્યો હતો. તેમણે નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (NPA) માંથી છૂટકારો મેળવવા માટે કેટલાંક પગલાં લીધાં, જેમાં કેટલાક વિદેશી એકમોનું વેચાણ અને બંધી પણ સામેલ છે.
ટાટા સન્સના ચેરમેન બનતા પહેલા તેઓ તેમના પરિવારના શાપૂરજી પલોનજી ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર હતા.ટાટા સાથે કેવો હતો સંબંધ ?સાયરસ મિસ્ત્રીએ 1991 માં બાંધકામ કંપની શાપૂરજી પલોનજી એન્ડ કંપનીના ડિરેક્ટર તરીકે પારિવારિક વ્યવસાયમાં પ્રવેશ કર્યો હતો. મિસ્ત્રીની આગેવાનીમાં શાપૂરજી પલોનજીનો મેન્યુફેક્ચરિંગ બિઝનેસ 20 મિલિયન ડોલરથી વધીને 1.5 બિલિયન ડોલર થયો હતો. 4 જુલાઈ 1968ના રોજ જન્મેલા સાયરસ મિસ્ત્રી આઇરિશ નાગરિક હતા. તેમની માતા આયર્લેન્ડની હતી. મિસ્ત્રીને ગોલ્ફ રમવાનો અને પુસ્તકો વાંચવાનો શોખ હતો. મિસ્ત્રીની બહેન અલુના લગ્ન નોએલ ટાટા સાથે થયા છે, જે રતન ટાટાના સાવકા ભાઈ છે.