ધર્મ ગ્રંથોમાં સિંધાલૂણ મીઠાને સાત્વિક માનવામાં આવે છે. ઋષિ વાગ્ભટ્ટે પણ પોતાના ગ્રંથમાં કહ્યું છે કે, વ્રત અથવા ફળાહારમાં સિંધાલૂણ મીઠુંનો ઉપયોગ કરી શકાય છે. ત્યાં જ, આયુર્વેદમાં તેને ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. રોજ ભોજનમાં સિંધાલૂણ મીઠુંનો ઉપયોગ કરવામાં આવે તો વાત, પિત્ત અને કફને લગતાં દોષ થતાં નથી. જેથી રોગ પ્રતિરોધક ક્ષમતા વધવા લાગે છે અને કેન્સરનો ખતરો પણ ઓછો થાય છે. સિંધાલૂણ મીઠુંનો સ્વાદ ખારો હોય છે પરંતુ ભોજન કર્યા બાદ તે શરીરમાં મધુર રસમાં બદલાઇ જાય છે. તેના આ ગુણના કારણે આ મીઠું અન્ય મીઠાથી સારું માનવામાં આવે છે. તેમાં તીખાસ અન્ય મીઠાથી ઓછી હોય છે. જેનાથી ભૂખ વધે છે અને ભોજન પણ સરળતાથી પચી જાય છે. આ મીઠાના ઉપયોગથી બ્લડ પ્રેશર અને પેટને લગતી પરેશાની થતી નથી. આ મીઠું હ્રદય રોગમાં રાહત આપનાર માનવામાં આવે છે. શરીરમાં પાણીની યોગ્ય માત્રાને પણ જાળવી રાખે છે. તેનાથી બોડી હાઇડ્રેટ રહે છે, સાથે જ ડાઇઝેશન પણ યોગ્ય રહે છે. ભોજનમાં તેને સામેલ કરવાથી બ્લડ સર્કુલેશન પણ યોગ્ય રહે છે. આ મીઠામાં લગભગ 84 પોષત તત્વ હોય છે. તેમાં મેગ્નીશિયમ, કેલ્શિયમ વધારે માત્રામાં મળી આવે છે. તે તમારા હાડકા સાથે-સાથે શરીરના અનેક અંગો માટે પણ લાભદાયક રહે છે. આ બોડી અને દિમાગને રિલેક્સ કરે છે. જેથી તણાવ, ચિંતા જેવી સમસ્યાઓ દૂર રહે છે. તેની એક ચૂટકી માત્રાથી ડાઇઝેશન યોગ્ય રહે છે. લોહીને લગતાં રોગ જેમાં મીઠું ખાવાની મનાઇ હોય છે તેમાં પણ સિંધાલૂણ મીઠુંનો ઉપયોગ કરી શકાય છે.
Friday, May 17