ગુજરાત સરકારના નિર્માણને માત્ર 3 દિવસ જ થયા છે ત્યાં જ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વચ્ચે અણબનાવના સમાચાર આવ્યાં છે. સાથે સાથે કેટલાક ધારાસભ્યોની નારાજગી પણ સ્પષ્ટ પણે સામે અાવી રહી છે.
સતત છઠ્ઠી વખત ગુજરાતમાં સરકાર બનાવવા માટે ભાજપે સફળતા મેળવી છે. નવરચીત આ સરકારમાં ટોચના બે નેતાઓ વચ્ચે સૌથી મહત્વનું કારણ વિભાગોને લઇને મનદુખ થયું છે.
રૂપાણીની આગેવાનીમાં સરકારના શપથ સમારોહ બાદ તકરાર સામે અાવી રહી છે. મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ભાજપના પ્રમુખ જીતુ વાઘાણી વિવાદને નિપટાવવામુખ્યમંત્રી અાવાસે એક બેઠક યોજી હતી. પ્રથમ કેબિનેટ બેઠકમાટે નવનિયુક્ત મંત્રીઓને લગભગ 4 કલાક રાહ જોવી પડી અંદરનો વિવાદ સામે અાવ્યો હતો.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ખાતાઓની ફાળવણીને લઈને ખુશ નથી.નીતિન પટેલને ગૃહ અને વિકાસ મંત્રાલય જોતું હતું જે તેમને ન મળ્યું, સાથે સાથે ખુબ જ મહત્વપૂર્ણ ખાતાઓ નાણાંવિભાગ તેમની પાસેથી ખુંચવી લેવાયો.નીતિન પટેલને માર્ગ અેવં ભવન, હેલ્થ અને ફેમિલી, નર્મદા, કલ્પસાર,અારોગ્ય અને શિક્ષણ વિભાગ સોંપવામાં અાવ્યો.
તાજેતરમાં ગુજરાતમાં ચૂંટણીમાં ભાજપનું અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન રહ્યુ છે. છેલ્લી 6 ચૂંટણીમાં પ્રથમ વખત તેને 100થી ઓછી બેઠકો મળી છે.જો અામ જ વિવાદ રહેશે તો મોદી માટે 2019ની સામાન્ય ચૂંટણીમાં અહીંથી રસ્તો અાસાન નહી રહે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.