માતા લક્ષ્મી વૈભવ અને યશના દેવી છે. તે જેના પર મહેરબાન થઇ જાય છે તેના પર ધનવર્ષા થઇ જાય છે. મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તમામ પૂજા અર્ચના કરે છે. માન્યતા છે કે જે ઘરમાં મા લક્ષ્મીનો વાસ થાય છે ત્યાં ધનની કમી નથી થતી. માન્યતા છે કે સાંજે કેટલાંક વિશેષ કામ કરવાથી મા લક્ષ્મીના આશિર્વાય સદાય રહે છે. ધન સંબંધિત સમસ્યાઓ દૂર રહે છે.
સાંજે જરૂર કરો આ કામ
મંદિરમાં ધૂપ દીપ પ્રગટાવીને આરતી જરૂર કરો.
ભગવાનને મીઠાઇનો ભોગ ધરાવવો જોઇએ.
તુલસીના છોડમાં દીવો પ્રગટાવવો જોઇએ.
સાંજના સમયે ઘરમાં શાંતિનું વાતાવરણ જરૂર રાખો.
સાંજે ઘરે પરત ફરતી વખતે ખાલી હાથે ન જાઓ. સાથે કંઇકને કંઇક જરૂર લઇ જાઓ.
ઘરમાં પૂર્વજોની તસવીર સામે સંધ્યા દીપક જરૂર પ્રગટાવવો જોઇએ.
આ કામ કરશો તો લક્ષ્મી મા થઇ જશે નારાજ
મા લક્ષ્મી તે ઘરોમાં વાસ નથી કરતી જ્યાં હંમેશા તેના ઝગડા, વિવાદ અને અન્નનું અપમાન કરતા લોકો રહે છે.
મા લક્ષ્મી એવા ઘરોમાં વધુ દિવસ નથી રહેતા જ્યાં સવારે અને સાંજે ભગવાનની પૂજા અને આરતી નથી થતી.
જો તમે સૂર્યોદય બાદ પણ સૂતા હોવ તો આ આદત જલ્દી છોડી દો. મા લક્ષ્મી તેવા ઘરોમાં નિવાસ નથી કરતાં જ્યાં તમામ સભ્યો સૂર્યોદય થયા બાદ પણ મોડા સુધી સૂતા રહે છે.
મા લક્ષ્મી સ્વચ્છ ઘરને પસંદ કરે છે તે તેવા ઘરોમાં નિવાસ નથી કરતી જ્યાં ગંદકી હોય છે.
જે ઘરના સભ્ય વૃદ્ધોનુ અપમાન કરે છે તે ઘર પર દેવી લક્ષ્મીની કૃપા ક્યારેય નથી રહેતી.