કોરોના વાયરસની મહામારી દુનિયામાં વધતી જાય છે. આ વાયરસ આગની જેમ ફેલાતો જાય છે તેના સંક્રમણથી સેંકડો લોકોના મોત થયા છે અને અનેક લોકો જીવન મરણ વચ્ચે હોસ્પિટલમાં ઝોલા ખાઇ રહયા છે. કોરોના વાયરસની દવા અને રસી ઉપરાંત પણ જે સંશોધન ચાલી રહચા છે જેમાં ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે. ઇટલીમાં કોરોના સંક્રમિત મૃતદેહોની અંતિમક્રિયા સાથે સંકળાયેલા પાદરીઓને પણ ચેપ લાગ્યો હતો. ઘણા દેશોમાં કોરોના સંક્રમિત વ્યકિતનું મોત થાય ત્યારે તેની અંતિમક્રિયામાં 7 થી 10 થી વધારે લોકોના જોડાવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
કોરાનાથી મરનારાની અંતિમક્રિયા માટે ગાઇડલાઇન પણ બહાર પાડવામાં આવી છે ત્યારે સવાલ એ થાય છે કે મૃત્યુ પછી પણ શરીરમાં કેટવા સમય સુધી કોરોના વાયરસ જીવતો રહે છે? કોરોના વાયરસ કોઇ પણ મૃતદેહમાં જયાં સુધી ફલૂડ એટલે કે તરલ હોય ત્યાં સુધી જીવતો રહે છે. કોઇ પણ કોરોના સંક્રમિત વ્યકિતને દફનાવવામાં આવે ત્યારે શરીરમાંથી ફલૂડ ખતમ થતા 3 થી 4 દિવસ લાગે છે આથી ત્યાં સુધી વાયરસ જીવતો રહી શકે છે.
આથી જો કોઇ દફનાવવામાં આવેલા શખ્સને બહાર કાઢવામાં આવે અને વાયરસ મોં,આંખ કે નાક દ્વારા શરીરમાં ઘૂંસ્યો તો સંક્રમણ થવું નકકી જ છે. આથી દફનાવ્યા પછી પણ તે સ્થળની સુરક્ષા રાખવામાં આવે તે જરુરી છે. મૃતદેહને દફનાવવો કે બાળવોએ અંગે હંમેશા વિવાદ રહયો છે તે કલ્ચર ભેદનો પણ વિષય છે પરંતુ કોરોના સંક્રમણની મહામારીની રીતે વિચારીએ તો બંને સુરક્ષિત પધ્ધતિ છે.