ગુજરાત વિધાનસભાની ચુંટણીની તારીખોની જાહેરાત થઇ ચુકી છે અને ગુજરાતમાં આચાર સંહિતાનો પણ અમલ થઇ
ચુક્યો છે પરંતુ હજુ સુધી ભાજપ કે કોંગ્રેસ બંનેમાંથી કોઇપણ પક્ષ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી શક્યો નથી. વર્ષો
પહેલા પરિસ્થિતિ એવી હતી કે પક્ષના નામે નહિ પરંતુ ઉમેદવારના નામે ચુંટણી લડવામાં આવતી હતી. સ્થાનિક સ્વરાજ્યથી માંડીને
લોક સભા સુધીની ચુંટણીની ઉમેદવારીમાં મહિનાઓ પહેલા ઉમેદવારના નામો જાહેર થઇ જતા હતા.
મતદારો ખુદ પણ આવા દાવેદાર ઉમેદવારોના નામોને આગળ કરતા અને અનુમાનો પણ કરતા કે જો આમને ટીકીટ મળશે
તો જ આ પક્ષ આ બેઠક જીતી શકશે અને આમની સામે જો ઉમેદવાર મુકાશે તો આ નહિ પણ પેલો ઉમેદવાર જ જીતી જશે અને
આવા અનુમાનો પણ સાચા જ પડતા પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી સ્થિતિ બદલાઈ ચુકી છે. રસ્તાઓ સારા નહોતા વાહનોની અત્યાર
જેવી કોઈ ખાસ સુવિધા નહોતી છતાં ઉમેદવાર મતદારોનો વ્યક્તિગત સંપર્ક કરવા પહોચી જતા અને મતદારો સામેથી હાથ જોડીને
કહેતા કે સાહેબ તમારે આવવાનું જ ના હોય, અમારો મત તમને જ આપવાનો છે અને તેમના અવાજમાં સચ્ચાઈનો રણકો પણ
રહેતો.
મતદાનની સમગ્ર ઘટના એક પવિત્ર પર્વ જેવી બની રહેતી હતી. તેનું કારણ એ પણ હતું કે, ઉમેદવાર કોઇપણ પાર્ટીનો
હોય, તે ગરીબ હોય કે તવંગર હોય પરંતુ પરંતુ તેમની પ્રમાણિકતા અને સેવા તેમજ નિષ્ઠા માટે કોઈને પણ શંકા રહેતી નહોતી.
પરંતુઆજે ઉમેદવારોની સ્વચ્છ પ્રતિભા એ એક ભૂતકાળ બની ગઈ છે. માત્ર કોણ ઓછો કરપ્શનના રંગે રંગાયેલો છે તેની જ પસંદગી,કરવાનું ઉત્તમ રહે તેવી પ્રીશીતી આવીને ઉભી રહી છે.