ગુજરાતની ચૂંટણીના બીજા અને અંતિમ ચરણમાં આવતીકાલે 92 વિધાનસભા સીટો પર મતદાન થશે. કોંગ્રેસ માટે આ ચરણમાં ઘણો મુશ્કેલી વાળો રહેશે પાર્ટી પર વિવિધ પાર્ટીઓ સાથે ગઠબંધનનો બોજ છે. કમ સે કમ 1 સીટ પર બળવાખોર ઉમેદવારો આ તબક્કામાં ચૂંટણી લડશે આ ઉપરાંત ભાજપની આદિવાસી વોટ બેન્ક પર નજર પણ કોંગ્રેસ માટે માથાનો દુખાવો બની શકે છે. પ્રથમ ચરણમાં કોંગ્રેસ આશ્વસ્ત જોવા મળી રહી હતી. પરંતુ બીજા તબક્કામાં કોંગ્રેસનો રસ્તો આસાન નથી.
બીજા ચરણના મતદાનમાં 32 સીટો ધરાવતું ઉત્તર ગુજરાત કોંગ્રેસ માટે મહત્વ પૂર્ણ છે. 2012ની છેલ્લી વિધાનસભા ચૂંટણી કોંગ્રેસે 32 માંથી 17 સીટો જીતી હતી. 12 સીટ પર ઓછામાં ઓછા 16 બળવા ખોર ઉમેદવારો કોંગ્રેસ વિરુદ્ધ મેદાનમાં છે. કોંગ્રેસ સામે સૌથી મોટો પડકાર બનાસકાંઠામાં છે. અહીં કોંગ્રેસ નવમાંથી પાંચ સીટ પર બળવાખોર ઉમેદવારોનો સામનો કરવાનો છે.
કોંગ્રેસ માટે સૌથી મોટો પડકાર અનુસૂચિત જાતિઓ માટે આરક્ષિત 27 સીટો છે. કોંગ્રેસની ચિંતા ભાજપની નવી રણનીતિને કારણે છે. છેલ્લા બે વર્ષમાં ભાજપે વીએચપી અને આરએસએસના માધ્યમથી પૂર્વ ગુજરાતમાં આદિવાસીઓ વચ્ચે મજબૂત સંબંધ બનાવ્યા છે. વીએચપી દ્વારા ચલાવતા એકલ વિદ્યાલયોમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં સારો વધારો થયો છે.