ગમે તેટલા પ્રયત્નો કરવા છતાં નથી ઉતરતુ તમારૂ વજન? શું કંઈ પણ ખાઓ ત્યારે તમને સતાવે છે ડર? તો તમે જમવામાં કરો આ નાનકડો ફેરફાર મળશે જરૂરથી ફાયદો. તમે નિયમિત ફણગાવેલા કઠોળ ખાશો તો તમને જરૂરથી મળશે ફાયદો. જેટલા ફાયદાઓ ફણગાવેલા કઠોળ ખાવાથી તમને પોષક તત્વો ફાઈબર, પ્રોટીન જેવા જરૂરી તત્વ મળે છે. આમાં કેલરી હોવાની સાથે તમે જરૂરી એનર્જી મેળવીશું. તો આપને આજે જણાવીશું ફણગાવેલા કઠોળથી મળતા ફાયદાઓ અંગે.
વજન ઓછો કરવો
મહિલાઓ જો પોતાનો વજન નિયંત્રણમાં રાખવા માંગતી હોય તો તેમણે સવારે ભરપેટ નાસ્તો કરવો જોઈએ. આને ખાવાથી લાંબા સમય સુધી તમારા પેટમાં અનાજ ભરેલુ હોય તેવુ લાગશે અને તમને વારંવાર ભૂખ નહી લાગે. ફાઈબરને વધારે પ્રમાણમાં ઉપયોગમાં લેવાથી શરીરનું વજન ખુબજ જલ્દીથી ઘટવા લાગશે.
બ્લડ શુગર
રોજ એક મુઠ્ઠી ફણગાવેલા કઠોળ ખાવાથી બ્લડ શુગર નિયંત્રણમાં રહેશે.
રોગ પ્રતિકારક શક્તિ વધશે
ફણગાવેલા કઠોળમાં ભરપુર માત્રામાં વિટામીન સી હોય છે. જે શરીરમાં રહેલ સફેદ કણોને ખુબજ મજબુત કરે છે અને ઇન્ફેક્શન થતું બચાવે છે. આનાથી તમારા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ ખુબજ મજબુત થાય છે.
હૃદય રહે છે મજબુત
ફણગાવેલા મગનું સેવન કરવાથી તમે ખુબજ સ્વસ્થ રહી શકશો. આનાથી શરીરમાં કોલેસ્ટ્રોલ બેલેન્સ થાય છે હૃદય મજબુત થાય છે.
સ્વસ્થ આંખો
આમાં આવતુ વિટામિન એ હોય છે જે તમારી આંખોની રોશનીને સ્વસ્થ બનાવવામાં મદદરૂપ થાય છે.
આ રીતે ફણગાવેલા કઠોળનો ઉપયોગ કરો
તમે સેન્ડવિચમાં શાકની જગ્યાએ ફણગાવેલા કઠોળ વાવી શકો છો. જમવાની વચ્ચે જો ભૂખ લાગે તો તમે ફણગાવેલા કઠોળમાં ડૂંગળી, ટમેટા નાખીને ચાટ બનાવી ખાઈ શકશો. જો તમને કાચા ફણગાવેલા કઠોળ ન ભાવે તો તમે શાક અને રોટલીમાં તેનો સમાવેશ કરી શકો છો.


Satya Day News
Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.