પાટીદાર અનામત આંદોલનની કમાન અલ્પેશ કથીરીયાને સોંપી દીધા બાદ હાર્દિક પટેલે ખેડુતોને હક અને અધિકાર માટેની લડત શરૂ કરી છે. હાર્દિક પટેલે પદયાત્રા કાઢવાનું એલાન કર્યું છે. ચાર દિવસ સુધી આ પદયાત્રા સૌરાષ્ટ્રના ગામોમાં ફરશે અને ખેડુતોને ન્યાય આપવાની માંગ કરશે તથા તેમની વેદનાને વાચા આપવાનું કામ કરશે.
હાર્દિક પટેલવી ખેડુત વેદના પદયાત્રા 20મી તારીખથી અમરેલીના ફતેપુરથી નીકળશે. અને ત્યાર બાદ ચાપાથ, ગોખરવાળા, લાપળીયા જેવા અમરેલની ગામોમા ફરશે. અમરેલી બાદ પદયાત્રા સીદી સાવરકુંડલાના ઓળીયા, કરજાળા અને નેસડીમાં પહોંચશે.
21મી તારીખે આ પદયાત્રા ધારીના ચલાલા, ગોપાલગ્રામ, હાલરીયા જેવા ગામોમાં ખેડુતોમાં ખેત પેદાશોના ભાવને લઈ જાગૃતિ આણવાનું કામ કરશે. જ્યારે 22મી તારીખે પદયાત્રા બગસરાના હામાપુર, કાગદડી, લૂંધીયા, સુડાવડ અને સાપર જેવા ગામોમાં પહોંચશે.
23મી તારીખે સવારે 10 વાગ્યે બગસરામાં આવી પહોંચશે અને ત્યાર બાદ ડેરીપીપળીયા, માવજીંજવા ગામમાંથી પસાર થઈ સાંજે સાત વાગ્યે બાલાપુર(અમરેલી) ખાતે સમાપ્ત થશે.
પદયાત્રાનો મુખ્ય હેતુ ખેડુતોના દેવા માફ કરવા, ખેડુતોને પાક વીમો આપવા અને ખેડુતોને સમયસર 24 કલાક વીજળી પુરવઠો પુરો પાડવાની માંગને બળવત્તર બનાવવાનો છે.