સુરતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા અાવતીકાલે રવિવારે મહાક્રાંતિ રેલી અને જંગી જાહેરસભા યોજાવાની છે. જેમાં પાટીદાર નેતા હાર્દિક પટેલ સહિતના દિગ્ગજ નેતાઓ સુરતમાં રેલીઓ ગજવશે. અાવતી કાલે સુરતમાં ઐતિહાસિક જનક્રાંતિ મહારેલી અને સાંજે જંગી જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે.
સુરત પાટીદાર અનામત આંદોલન સમિતિના ધાર્મિક માલવીયા અને અલ્પેશ કથિરીયાના નેતૃત્વમાં હાર્દિક પટેલની જંગી જનક્રાંતિ મહારેલી અને જનસભાને સફળ બનાવવા સેંકડો કાર્યકરો કટિબદ્ધ થયા છે. તડામાર તૈયારીઓ પૂર્ણ થઈ છે. સવારે ૮થી ગજેરા સર્કલથી લઇ શહેરના મુખ્ય માર્ગો પર હજારોની સંખ્યામાં પાટીદાર યુવાનોની રેલી નિકળશે.
ગજેરા સર્કલથી નીકળી રેલી હાથી મંદિર, લક્ષ્મીધામ, રામકથા રોડ, આંબાતલાવડી, મોહનદીપ, હરિદર્શન ખાડો, બંગલો, અક્ષરવાડી, ડભોલી રોડ ચાર રસ્તા, જહાંગીરપુરા, શુકનશ્રી સીલ્વર સ્ટોન, પ્લેટીનીયમ પાર્ક, રિધ્ધી સિધ્ધી કોઝવે, રાજપેલેસથી પંચવટી કોઝવે રોડ, સિંગણપુર રોડ, વિજય રાજ સર્કલ, કેશવ પાર્ક, કુબેરનગર, રંગદર્શન, ધનમોરા, ધરમનગર, સુભાષનગર, પાર્વતીનગર, ગોપીનાથ, આંબાતલાવડી, રાશી સર્કલ વડલો ગજેરા સર્કલ, પ્રમુખસ્વામી બ્રીજ ખાતે પહોંચશે બાદ રાત્રે યોગી ચોક ખાતે જંગી જાહેરસભા યોજાશે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.