રવિવાર, 8 ડિસેમ્બરે મોક્ષદા એકાદશી છે. દ્વાપર યુગમાં માગશર મહિનાના શુક્લ પક્ષની એકાદશીએ ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતા ઉપદેશ આપ્યો હતો. તેને લીધે આ તિથિને ગીતા જયંતીના નામે પણ ઓળખવામાં આવે છે. મહાભારતમાં જ્યારે કૌરવો અને પાંડવોની વચ્ચે યુદ્ધની શરૂઆત થઈ રહી હતીં, ત્યારે અર્જુને શ્રીકૃષ્ણની સામે શસ્ત્ર રાખી દીધા હતા અને કહ્યું હતું કે હું પોતાના જ કુળના લોકો ઉપર પ્રહાર નથી કરી શકતો. ત્યારબાદ શ્રીકૃષ્ણએ ગીતાનો ઉપદેશ આપ્યો અને અર્જુનને કર્મોનું મહત્વ બતાવ્યું હતું.
ભાગવદગીતામાં અનેક વિદ્યાઓ બતાવવામાં આવી છે. તેમાં ચાર મુખ્ય છે- અભય વિદ્યા, સામ્ય વિદ્યા, ઈશ્વર વિદ્યા અને બ્રહ્મ વિદ્યા. અભય વિદ્યા મૃત્યુના ભયને દૂર કરે છે. સામ્ય વિદ્યા રાગ-દ્વેષથી મુક્તિ અપાવે છે. ઈશ્વર વિદ્યાથી વ્યક્તિ અહંકારથી બચાવે છે. બ્રહ્મ વિદ્યાથી અંતરાત્મામાં બ્રહ્મા ભાવ જગાવે છે.
એક માત્ર ગ્રંથ ગીતા છે જેની જયંતી મનાવાય છે
ગીતા એક માત્ર એવો ગ્રંથ છે જેની જયંતી મનાવવામાં આવે છે. હિન્દુ ધર્મમાં પણ માત્ર ગીતા જયંતી મનાવવાની પરંપરા પ્રાચીનકાળથી જ ચાલતી આવી છે, કારણ કે બીજા ગ્રંથ કોઈ મનુષ્ય દ્વારા લખવામાં આવ્યા અને સંકલિત કરવામાં આવ્યા છે, જ્યારે ગીતાનો જન્મ ભગવાન વિષ્ણુના અવતાર શ્રીકૃષ્ણના મુખેથી થયો હતો. શ્રીગીતાજીની ઉત્પત્તિ ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રમાં માગશર મહિનામાં શુક્લપક્ષની એકાદશીએ થઈ હતી. આ તિથિ મોક્ષદા એકાદશીના નામે વિખ્યાત છે. ગીતા એક સાર્વભૌમ ગ્રંથ છે. આ કોઈ કાળ, ધર્મ, સંપ્રદાય કે જાતિ વિશેષ માટે નહીં, પરંતુ સંપૂર્ણ માનવ જાતિ માટે છે. તેને સ્વયં શ્રીભગવાને અર્જુનને નિમિત્ત બનાવીને કહ્યું છે એટલા માટે આ ગ્રંથમાં ક્યાંય પણ શ્રીકૃષ્ણ ઉવાચ શબ્દ નથી આવ્યો પરંતુ શ્રીભગવાનુવાચનો પ્રયોગ કરવામાં આવ્યો છે. ગીતાના 18 અધ્યાયોમાં સત્ય, જ્ઞાન અને કર્મનો ઉપદેશ છે. તેનાથી કોઈપણ મનુષ્યની બધી સમસ્યાઓને દૂર કરી શકાય છે અને જીવનને સફળ બનાવી શકાય છે.