નવા વર્ષના પ્રથમ દિવસે જ જામનગરના કિશાનચોક વિસ્તારમાં સામુહિક આપઘાતનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક જ પરિવારના પાંચ લોકોએ વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પીને જીવન ટૂંકાવી લીધું છે.
આપઘાત કરી લેનાર વ્યક્તિઓમાં પતિ-પત્ની તેમજ એક દીકરી અને દીકરો અને એક મહિલાનો સમાવેશ થાય છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ તેમજ 108ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.
ણણ. બનાવની તપાસ માટે ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. પોલીસ તરફથી આ કેસની તપાસ શરૂ કરવામાં આવી છે.દીપકભાઈ સાકરિયા, આરતીબેન સાકરિયા, કુમકુમ, હેંમત અને જયાબેને ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે.