જુનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોષીના પરીવારને આજ રોજ એક અકસ્માત નડ્યો હતો, જેમાં તેમના દિકરાની દિકરીનું અવસાન થતા પરીવારમાં શોક વ્યાપી ગયો હતો.
જુનાગઢના ધારાસભ્યની ગાડીનો આંધ્રપ્રદેશના હૈદરાબાદ પાસે આકસ્માત થયો હતો. જેમાં તેમના દિકરામનોજ જોષીની 15 વર્ષની દિકરી પરી જોષીનું અવસાન થયું હતું. નોંધનીય છે કે જોષી પરીવારના 7 સભ્યો ફરવા માટે ગયા હતા જે દરમિયાન હૈદરાબાદથી 70 કિલોમિટર દુર આ ઘટના બની હતી. અન્ય પરીવારના સભ્યોને સામાન્ય ઈજા પહોંચી હતી