કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ધાર્મિક અને પૂજા સ્થળ ખોલવા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રેસેઝર (SOP) જાહેર કરી છે. આ માર્ગદર્શિકા પ્રમાCs 65 વર્ષથી વધુ વયની વ્યક્તિ, બીમાર વ્યક્તિ, ગર્ભવતી મહિલાઓ અને 10 વર્ષની નીચેની ઉંમરના બાળકોને ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે.
ધાર્મિક સ્થળના પ્રવેશ દ્વાર પર સેનિટાઈઝ ડિસ્પેન્સર અને થર્મલ સ્ક્રીનિંગ ફરજિયાત કરવામમાં આવ્યું છે. ધાર્મિક અને પૂજા સ્થળના પરિસરમાં માત્ર કોરોનાના લક્ષણો ના ધરાતવા હોય, તેવા લોકોને જ પ્રવેશ મળશે. તમામ લોકોને માસ્ક અથવા ફેસ કવર કરવો ફરજિયાત રહેશે. આ સાથે જ કોરોનાથી બચવાના ઉપાયો દર્શાવતા પોસ્ટરો ખાસ લગાવવાના રહેશે. આટલું જ નહીં, ઓડિયો અને વીડિયો સંદેશાઓ મારફતે નિયમિત રીતે લોકોને બીમારીથી બચવાના ઉપાયોની જાણકારી આપવાની રહેશે.
લોકોને પોતાના જૂતા અથવા ચપ્પલ પોતાની કારમાં જ રાખવાના રહેશે. જરૂરિયાત જણાય તો જ તેના માટે અલગ વ્યવસ્થા કરવાની રહેશે. આ ઉપરાંત ધાર્મિક સ્થળો અને મંદિર પરિસરોમાં ભીડ એકઠી ના થાય અને આ સાથે જ પાર્કિંગની પણ પૂરતી વ્યવસ્થા કરવાની રહેશે. પરિસરમાં આવેલ દુકાનો, સ્ટોલ અને કાફેટેરિયા પર પણ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવું પડશે.