ઉત્તર પ્રદેશમાંથી યોગી સરકાર અને ભાજપ માટે ઝટકા સમાન સમાચારો આવી રહ્યા છે. હાલમાં જ ઉત્તર પ્રદેશમાં યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે. ઉત્તર પ્રદેશમાં ગોરખપુર અને ફૂલપુરની બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી. જેનું પરિણામ આજે હતું. જેમાં બંને બેઠકો પર ભાજપની હાર થઈ છે. અહીં સપાના ઉમેદવાર પ્રવીણ કુમાર નિષાદે 21,961 મતોથી ભાજપના ઉમેદવાર ઉપેન્દ્ર દત્તને હરાવ્યા છે. કેવી રીતે અજય સિંહ બિષ્ટ બન્યા યોગી આદિત્યનાથ? ગોરખપુર સીટ પર તો ખુદ યોગી આદિત્યનાથ જ ચૂંટાઈને લોકસભામાં આવ્યા હતા. મુખ્યમંત્રી બન્યા બાદ આ સીટ ખાલી પડી હતી. યોગીનો ગઢ ગણાતી આ સીટ પર જ ભાજપની હાર થઈ છે. તો ફૂલપુર સીટ કેશવપ્રસાદ મોર્ય ઉપમુખ્યમંત્રી બન્યા બાદ ખાલી પડી હતી. ત્યાં પણ ભાજપની હાર થઈ છે. બિહારની અરરિયા લોકસભા બેઠક પર થયેલી ચૂંટણીમાં પણ ભાજપ અને નીતિશ કુમારના ગઠબંધને હારનો સામનો કરવો પડ્યો છે. બિહારની આ બેઠક રાષ્ટ્રીય જનતા દળના સાંસદ તસલીમુદ્દીનના મૃત્યુ બાદ ખાલી પડી હતી. જે બાદ તેમના પુત્ર સરફરાઝ અહમદ રાજદની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા હતા. જેમાં તેમની જીત થઈ છે. ઉપરાંત બિહારમાં બે વિધાનસભા બેઠકો માટે પણ ચૂંટણી યોજાઈ હતી. જેમાં જેહાનાબાદ અને ભભૂઆની બેઠકો પર પર રસાકસી ભર્યો જંગ હતો. જેમાં જહાનાબાદ બેઠક પર આરજેડી અને ભભૂઆની બેઠક પર ભાજપની જીત થઈ છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.