છેલ્લા ઘણાં સમયથી અમરેલી જિલ્લામાં માનવભક્ષી દીપડાનો આંતક વધી ગયો હતો. જેના કારણે ગ્રામ્ય વિસ્તારના લોકો અને ખાસ કરીને ખેડૂતોમાં ભયનો માહૌલ હતો. આ મુદ્દે સ્થાનિકો દ્વારા ભારે વિરોધ દર્શાવાયો હતો. ઘણા લોકોને ફાડી ખાધા છે, તો ઘણાઓને ઈજા પહોંચાડી છે. દીપડાઓના આતંકને લઈને લોકો ત્રાહિમાં કરી ગયા છે. તેને પગલે જિલ્લા મેજિસ્ટ્રેટે બગસરા તાલુકામાં ધારા 144 લગાવી દેવામાં આવી છે. આ બાબતે હવે એક રાહતના સમાચાર મળ્યા છે. અમરેલીના બગસરાના કાગદડી ગામની સીમમાંથી આખરે એક માનવભક્ષી દીપડી પાંજરે પૂરાઇ ગઇ છે. સમગ્ર વનતંત્ર સાપરમાં દીપડીને શોધી રહ્યું હતું, ને દીપડી કાગદડીની સીમમાં પાંજરે પૂરાઈ હોવાનું જાણવા મળ્યું છે. વનમંત્રીએ પણ દીપડાને પકડવા માટે વન વિભાગ કામ કરી રહ્યું છે. વનવિભાગ દ્વારા દીપડાને પકડવા માટે 200 લોકોની ટીમ કામે લાગી છે અને 8 જેટલા શાર્પ શૂટર પણ સામેલ છે. દીપડાઓને ઝડપી લેવા અને મારવા માટે નાઈટ વિઝન કેમેરા અને ડ્રોન દ્વારા દીપડા પર નજર રાખવામાં આવી રહી છે. માનવભક્ષી દીપડાને પકડવા માટે વનવિભાગે બગસરામાં 30 જેટલા પાંજરા મૂક્યા છે.
Friday, May 3