PM નરેન્દ્ર મોદીને અપશબ્દો કહેનાર મણિશંકર ઐયર પર કોંગ્રેસ પાર્ટીએ પગલા લીધા છે. મણિશંકર અૈયરને કોંગ્રેસ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.મણિશંકર અૈયરને મામલામાં કારણ દર્શક નોટિસ પણ ફટકારવામાં અાવી છે.કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ આ અંગે ટ્વીટર પર જાણકારી આપી હતી.
દિલ્હીનાં પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતે કહ્યું હતુ કે કેટલાક નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસને વધારે કમજોર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. રાહુલ ગાંધી અને કૉંગ્રેસ પાર્ટીને કમજોર કરવાના પ્રયત્ન કરનારની ઘોર નિંદા કરી રહી છું. જો આ નેતા ખરેખર કૉંગ્રેસની વિચારધારા પર વિશ્વાસ ધરાવે છે, તો તેમણે શબ્દોની પસંદગી પહેલા ખુબ જ સાવધાન રહેવું જેઇએ.
મણિશંકર અય્યરે કહ્યું કે, જ્યારે હું ‘નીચ’ શબ્દ કહું છું ત્યારે મને તે શબ્દ નીચા સ્તરનો અર્થ લાગે છે, હું અંગ્રેજીમાં અને હિન્દીમાં બોલું છું કારણ કે હિન્દી મારી માતૃભાષા નથી. તેથી જો તેનો કોઈ અન્ય અર્થ હોય તો માફ કરશો. મણિશંકરે વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન બાબા સાહેબ આંબેડકર કેન્દ્રનાં ઉદ્ઘાટન સમયે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પક્ષની નિંદા કરી હતી.PM અમારા નેતાઓ સામે ખોટી ભાષાનો ઉપયોગ કરે છે.મે તો PM નરેન્દ્ર મોદીને વળતો જવાબ અાપ્યો હતો.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.