પરણિત સ્ત્રીઓને એક આદત હોય છે કે તેઓ ઘણીવાર તેમની ચીજો અન્ય મહિલાઓ સાથે શેર કરે છે. કોઈ મિત્ર કે સંબંધીએ કહ્યું કે જો તમારી બિંદી ખૂબ સારી લાગે છે, તો તેણી તેના કપાળમંથી ઉતારીને ફટાફટ તેને લગાવી દેશે. પરંતુ સુહાગન મહિલાઓએ બધું શેર કરવું જોઈએ નહીં. આનાથી તમારા સંબંધોમાં અણબનાવ લાવી શકે છે, અને સુહાગ અને સૌભાગ્ય પર ખરાબ નજર લાગે છે. તો ચાલો જાણીએ કેટલીક એવી બાબતો વિશે કે જે પરિણીત મહિલાઓએ તેમના પરિવાર અથવા મિત્રો સાથે શેર ન કરવી જોઈએ
માંગનું સિંદૂર: સિંદૂરએ સુહાગની નિશાની હોય છે, તેથી તેને કોઈની સાથે શેર કરવાની ભૂલ ન કરો. જો કે, જો તમે ઈચ્છો છો, તો તમે ભગવાનને ચડાવેલું સિંદૂર અથવા નવી સંદૂરની ડબ્બી આપી શકો છો. આ સિવાય મહિલાઓએ કોઈની સામે સિંદૂર ના લગાવવું જોઈએ
આંખોનું કાજલ: કાજલ આંખોની સુંદરતામાં વધારો કરે છે, અને સાથે સાથે તે નજર લાગવાથી પણ બચાવે છે. એવું માનવામાં આવે છે કે પરિણીત મહિલાઓએ ક્યારેય કાજલ કોઈની સાથે શેર ન કરવું જોઇએ. તેનાથી પતિનો પ્રેમ ઘટવા લાગે છે અને ઝઘડા પણ થાય છે.