તમારું મગજ તમારા શરીરનો સૌથી મહત્વપુર્ણ ભાગ છે. તે કમાન્ડ એન્ટર તરીકે ઓળખાય છે. આપણા શરીરના તમામ બોડી ફંકશન કે જેના વિશે આપણે જાણીએ છીએ તે મગજ દ્વારા કન્ટ્રોલ થાય છે. તે આપણા વિચારો, યાદ શક્તિ, વાણી, હાવભાવ અને અન્ય શરીરના અંગોને પણ નિયંત્રિત કરે છે. કેટલાક મગજના મહત્વપુર્ણ કાર્યોમાં સંવેદનાત્મક માહિતીની પ્રક્રિયા , હોર્મોન્સ રિલીઝ થવાની પ્રક્રીયા, બ્લડ પ્રેશર અને શ્વાસ, નિયમનનો સમાવેશ થાય છે. ડિમેન્ટીયાસ ઝેરી પદાર્થો, કુપોષણ, મલ્ટીપલ સ્કેલરોસિસ વગેરેનો સમાવેશ થાય છે. જે સંભવત જ્ઞાનાત્મક ડિસઓર્ડરનું કારણ બની શકે છે. તણાવ, ડિપ્રેશન, ડિહાઈડ્રેશન, અપુરતી ઉંધ જેવા વગેરે અનેક પરિબળો જ્ઞાનાત્મક સમસ્યાઓ વધારવામાં કારણરૂપ બની શકે છે. પણ જો આહાર અને જીવનશૈલીમાં સુધારો કરવામાં આવે તો મગજની કાર્યક્ષમતા વધારવામાં સહાય કરી શકાય છે. તેના માટે નીચેની ટિપ્સ ફોલો કરો.
- પ્રોબાયોટિક ખોરાક લો
પ્રોબાયોટિક આહાર આંતરડાના આરોગ્યને જાળવવામાં મદદરૂપ થાય છે. આજ આંતરડા આપણા બીજા મગજ તરીકે ઓળખાય છે. આંતરડામાં જે તેમિકલ ઉત્પન્ન થાય છે તે મુડ અને મગજ બંનેને ઉર્જા આપે છે. પ્રોબાયોટીક ખરાકમાં દહીં, અથાણા વગેરનો સમાવેશ થાય છે.
- તણાવને કન્ટ્રોલમાં રાખો.
તણાવના સમયે શરીરના કોર્ટિસોલ હોર્મોનના સ્તરમાં વધારો થાય છે. જે તમારા મગજની કામગીરીને ધીમી કરી નાખે છે. તણાવને કન્ટ્રોલમાં રાખવામાં માટે યોગ અને મેડિટેશન ખુબ ઉપયોગી બને છે. કેળા, મસુર, પાલખ વગેરે મુડ બુસ્ટીંગ ફૂડનો ઉપયોગ કરી શકાય છે.
- નિયમિત કસરત કરો
કસરત તમારા હાર્ટ રેટને અસ્થાયી રૂપે વધારી શકે છે, જે શરીરમાં ઓક્સિજનના પરિવહનમાં મદદરૂપ થાય છે. જેથી મગજની કાર્યક્ષમતામાં વધારો થાય છે.
- 7 થી 8 કલાકની ઉંધ લો.
પુરતી ઉંધ નર્વસ સેલને એકબીજા સાથે કમ્યુનિકેટ કરવામાં મદદરૂપ થાય છે. તે મગજને ઉપયોગી માહિતી જાળવી રાખવામાં અને બિનઉપયોગી માહિતી ફ્લશ આઉટ કરવામાં મદદરૂપ થાય છે. પુરતી ઉંધ ન મળવાથી મગજની કાર્યક્ષમતામાં પણ ઘટાડો થાય છે. તેમજ ડિપ્રેશન અને ટેન્શન જેવી સમસ્યા ઉદ્ભવે છે.