લોકસભા ચૂંટણીના ઘંટારવ વાગી રહ્યા છે ત્યારે રાજકીય પાર્ટીઓમાં રાજીનામાં પડવાની સીઝન આવી છે. કોંગ્રેસ એક પછી એક એમ કુંવરજીભાઈ બાદ ઉંઝાના MLA ડૉ.આશાબેન પટેલે ગઈકાલે જ કોંગ્રેસના તમામ પદો અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. આશા પટેલના રાજીનામાને લઈ ગુજરાત કોંગ્રેસ મંત્રી નરેન્દ્ર પટેલે વાતચીત કરતાં કહ્યું કે ‘આશાબેને 20થી 22 કરોડ રૂપિયા લઈ સાથે સોદો કર્યો છે અને કોંગ્રેસ તથા પાટીદારો સાથે ગદ્દારી કરી છે.
આશાબેનના કોંગ્રેસમાંથી રાજીનામાથી બેનને વિધાનસભા ચૂંટણી જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનાર અને ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા વંદના પટેલે કહ્યું કે ‘આશાબેને ભાજપ સાથે આર્થિક વ્યવહાર કરી કોંગ્રેસ છોડ્યું છે. આ ઉપરાંત બેનનું સીધું ધ્યાન ભાજપ શાસિત ઉંઝા APMC પર છે. વધુમાં આશાબેન અને ભાજપના દિનેશ પટેલના સંબંધો લોકલ રાજનીતિમાં પૂર્વ MLA નારાયણ લલ્લુભાઈ પટેલનું કદ ઘટાડશે. નારાયણ પટેલે આશાબેનને ભાજપમાં ન આવવા દેવા દિલ્હી જઈ બેનના મોડેલિંગ ફોટો પણ બતાવ્યા છે.’