ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન પહેલા ભાજપના પ્રચાર અર્થે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાટણ જનસભા સંબોધી હતી. ભાજપને મત આપવા માટે લોકોને અપીલ કરી હતી. જનસભાની શરૂઆતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાટણના વખાણ કરતા કહ્યું હતું કે રાણકી વાવ હોય, કુંભ મેળો હોય કે આપણા યોગ આજે આખી દુનિયામાં ભારતને પ્રસિદ્ધી અપાવી છે.
પોરબંદરમાં ઇવીએમ મશીનના બ્લુ ટૂથ મામલાના વિવાદ અંગે બોલતા નરેન્દ્ર મોદીએ બ્લુ વ્હેલ ગેમને યાદ કરી હતી. તેમણે કહ્યું કે ખરેખર તો કોંગ્રેસવાળા તમે આ બ્લુ ટુથ-બ્લુ ટુથ બોલવાનું બંધ કરો, મુદ્દો છે તમે બ્લુ વ્હેલમાં ફસાણા છો એટલે તમને 18મી તારીખે આ બ્લુ વ્હેલનો આખરી એપિસોડ જોવા મળશે.અેકલું અટુલુ, બીચારૂ ઇવીએમ મશીન બ્લુ ટૂથથી જોડાય ખરૂ.
કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે વારંવાર એક જ પ્રકારનું જુઠ્ઠાણું ઠેર-ઠેર જઈને બોલવાનો અર્થ એ થયો કે તમે માનીને બેઠા છો કે આ ગુજરાતની જનતાને કશી ખબર નથી પડતી અને તમે આ જે ગુજરાતની જનતાનું અપમાન કર્યું છે તેનો બદલો 14મી તારીખે ખબર પડી જશે.જનતા બધું જ જાણે છે જનતા કશું જ ચલાવી નહી લે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.