દર વર્ષે શ્રાદ્ધ પક્ષની સમાપ્તિ બાદ નવરાત્રિનો આસો મહિનો શરૂ થાય છે, પરંતુ આ વખતે આસો માસમાં અધિક માસ લાગવાના કારણે એક મહિનો વધુ લંબાશે. આવો સંયોગ લગભગ 165 વર્ષ બાદ આવી રહ્યો છે. શ્રાદ્ધ પક્ષ 2 સપ્ટેમ્બરે પ્રારંભ થયો હતો, જે 17 સપ્ટેમ્બર 2020ના રોજ સમાપ્ત થયો છે. નિયમ અનુસાર 18 સપ્ટેમ્બરે નવરાત્રિ શરૂ થઈ જાય છે. પણ આ વર્ષે આ દિવસથી પુરૂષોતમ માસ પ્રારંભ થઈ ચુક્યો છે.
આસો માસમાં અધિક માસ, પુરૂષોતમ માસ 18 સપ્ટેમ્બરથી શરૂ થઈને 16 ઓક્ટોબર સુધી ચાલશે. આ જ કારણ છે કે, આ વખતે આસો માસની શારદાયી નવરાત્રિનો પ્રારંભ 17 ઓક્ટોબરથી થશે અને સમાપ્તિ 25 ઓક્ટોબરે થશે. 26 ઓક્ટોબરના રોજ દશેરા હશે. તેના 20 દિવસ બાદ અર્થાત 14 નવેમ્બરે 2020ના રોજ દિવાળી આવશે.
ખાસ વાત એ છે કે, પુરૂષોતમ માસ જોડાઈ જવાના કારણે આ વર્ષ ચાતુર્માસ પણ ચારની જગ્યાએ પાંચ મહિનાનો થઈ જશે. અને એકાદીશ 24ની જગ્યાએ 26 રહેશે. આસો માસ આ વખતે 3 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી રહેશે. આ સમયગાળો 59 દિવસનો રહેશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્ય સંક્રાતિ ન હોવાના કારણે તેમાં અધિક માસ જોડાય જાય છે. પુરૂષોતમ માસ 32 માસ, 16 દિવસ 4 કલાક વિત્યા બાદ આવે છે.