અમદાવાદઃ PM મોદી બે દિવસના ગુજરાત પ્રવાસ પર છે.વડાપ્રધાન મોદીએ સાબરમતી આશ્રમના શતાબ્દી વર્ષ નિમિતે આયોજીત કાર્યક્રમમાં લોકોને સંબોધ્યા હતા.આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ ગૌભક્તિના નામ પર હિંસા કરતા લોકોને ચેતવણી આપી હતી. મોદીએ કહ્યું કે, ગૌભક્તિના નામ પર લોકોની હિંસા સ્વીકાર નથી. જો ગાયની ભક્તિ કરવી હોય તો ગાંધીજી-વિનોબાની રીતે કરો. વિનોભાજી જીવનભર ગૌરક્ષા માટે પોતાની જાતને આહત કરતાં રહ્યાં.
મોદીએ જણાવ્યું કે, હું દેશના વર્તમાન માહોલ મુદ્દે મારી પીડા અને નારાજગી વ્યક્ત કરવા માંગુ છું.હોસ્પિટલમાં કોઈ ડોક્ટર દર્દીને બચાવી ન શકે તો શું થઇ ગયું. જ્યારે ડોક્ટર બચાવે નહી ત્યારે પરિવારજનો ડોક્ટરોને મારે અને હોસ્પિટલ સળગાવી દે. શું આ આપણો દેશ છે?વધુમાં મોદીએ જણાવ્યું કે, અકસ્માતમાં પણ લોકોને એકબીજાને મારે છે, ટોળા ગાડીઓ સળગાવી દે છે. શું આ આપણો દેશ છે? આ સરકારનો પ્રયાસ છે કે આ મહાન રાષ્ટ્રના મહાન સપૂતો, મહાન પરંપરા, ઈતિહાસને યાદ કરતા રહીએ
મોદીએ કહ્યું કે, હું નેધલેન્ડમાં હતો મેં જોયું, જેટલા માર્ગો ભારતમાં બાપુના નામથી છે તેનાથી વધારે ત્યાં છે. સ્વચ્છતાથી વધુ મોટી શ્રધ્ધાંજલિ બાપુને કોઈ ન હોઈ શકે.હું રાજનીતિમાં બહુ મોડો આવ્યો છું, હું સંગઠન માટે કામ કરતો હતો, મેં રાજકારણ વિશે વિચાર્યું ન હતું.દેશ વાસીઓને આગ્રહ છે હિંસા સમસ્યાનું સમાધાન નથી, ડૉક્ટરનો કોઈ દોષ નથી કે તેના પરિવારજને બચાવી ન શક્યો..