PM નરેન્દ્ર મોદીએ ભાભરમાં ચૂંટણી સભા સંબોધી હતી. જ્યાં તેમણે બનાસકાંઠામાં આવેલા પૂરની સ્થિતિ સમયે કોંગ્રેસના નેતાઓ શું કરતા હતા તેવો સવાલ કર્યો. પુરના સંકટ સમયે ભાજપના નેતાઓ, પ્રધાનો અને કાર્યકરો અસરગ્રસ્ત વિસ્તારોમાં કામ કરતા હતા.
PM નરેન્દ્ર મોદીએ કહ્યું હતુ કે કોંગ્રેસના નેતાઓ બેંગ્લોરના સ્વિમિંગ પુલમાં છબછબીયા કરતા હતા.બનાસકાંઠામાં પૂરનો પ્રકોપ હતો ત્યારે કોંગ્રેસ નેતાઓ મોજ કરતા હતા.સંકટ સમયે કામ ન આવે તે સગો ન હોય.આ સિવાય ઓખી વાવાઝોડુ આવી રહ્યું હોવાના અહેવાલ મળતા જ સીએમ રૂપાણી સુરતમાં દોડી ગયા હતા.
અામ ભાભરમાં PM મોદીઅે ભાજપના કાર્યો ગણાવી કોંગ્રેસ પર નિશાન તાક્યું હતું.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.