PM મોદીએ 38મી વખત કરી મન કી બાત, PM મોદીએ આજે સંવિધાન દિવસની દેશવાસીઓને શુભેચ્છા પાઠવી, સાથે સાથે મુંબઈ હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી. તેમણે જણાવ્યું કે 40 વરસથી ભારત અાતંકવાદ સામે લડી રહ્યુ છે.અાતંકવાદ સામે લડવા સમગ્ર વિશ્વએ એક થવું પડશે.મુંબઈ હુમલાને દેશવાસીઓ ક્યારેય નહીં ભૂલે, કેટલાક વર્ષો પહેલા ભારત જ્યારે અાતંકવાદ પર ચર્ચા કરતું હતું ત્યારે ભારતની આ વાતને કોઈ ગંભીરતાથી નહોતું લેતું, અત્યારે સમગ્ર વિશ્વ સામે અાતંકવાદ વિકરાળ સમસ્યા છે.PM મોદીએ સમગ્ર વિશ્વવને એક જૂથ થઈ અાતંકવાદ સામે લડવાની અપીલ કરી.
PM મોદીએ કહ્યું કે 4થી ડિસેમ્બરે નેવી-ડે છે નદીઓના કિનારે જ સંસ્કૃતિનો વિકાસ થાય છે. નેવીને યાદ કરતા જ શિવાજી મહારાજ યાદ અાવી જાય છે.અે સમયે ભારત પાસે નૌસેના દેશનું રક્ષણ કરવા સમર્થ હતું અત્યારે અાપણું નેવી દુનિયાના બીજા દેશોમાં પણ મદદ માટે જાય છે.
PM મોદીએ આ સાથેજ સમગ્ર દેશવાસીઓને ઈદની પણ શુભેચ્છા પાઠવી.PM મોદીએ સમગ્ર દેશ વાસીઓ પાસે એપના માધ્યમથી તેમના અભિપ્રાયો જણાવવા પણ કહ્યું


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.