ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને તમામ પક્ષ પ્રચારમાં લાગી ગયા છે ત્યારે આજે PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે અાવી રહ્યા છે. આજે બપોરે 2 કલાકે ધંધૂકા, દાહોદ, નેત્રંગમાં સભા સંબોધશે. આ વખતે PM મોદી મધ્ય-ઉત્તર ગુજરાતમાં જનસભાને સંબોધશે. PM મોદીની ઓખીને લઈને સુરતની સભા રદ કરવામાં આવી છે.
PM મોદીના સભા સ્થળના રૂટમાં પરિવર્તન કરવામાં આવ્યુ છે. તેઓ હેલિકોપ્ટર દ્વારા આવવાના હતા પરંતુ ખરાબ વાતાવરણના કરાણે રોડ માર્ગે દાહોદની સભામાં પહોંચશે. પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા પણ બદલાવવામાં આવી છે. PM મોદી સાથે શિક્ષણ પ્રધાનપણ ઉપસ્થિત રહેશે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.