ત્રિપુરામાં જીત નોંધાયા પછી જનતાને સંબોધન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજેપી હેડક્વાર્ટર્સ પહોંચ્યા છે. પરંતુ, અઝાન ચાલુ હોવાથી મોદીએ પોતાની સ્પીચ અટકાવી દીધી હતી. ત્યારબાદ મોદીએ જે બીજેપી કાર્યકર્તાઓ શહીદ થયા તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે 1 મિનિટનું મૌન રાખ્યું. તે પછી મોદીએ કહ્યું, “આ લોકતંત્ર છે જ્યાં ગરીબમાં ગરીબ અને અભણમાં અભણે પણ ચોટનો જવાબ વોટથી આપ્યો.” ઉલ્લેખનીય છે કે ત્રિપુરામાં બીજેપીએ સૌથી મોટો ઉલટફેર કરીને ત્રિપુરામાં 25 વર્ષોથી સત્તામાં રહેલા લેફ્ટનો બહારનો રસ્તો બતાવ્યો.મોદીએ કહ્યું, “નોર્થઇસ્ટ આજે વિકાસયાત્રાના પથ પર ભારતનું નેતૃત્વ કરવા માટે આગળ આવ્યું છે.ભારતના ઇલેક્શન એનાલિસ્ટોએ ‘નોવન ટુ વન’ એટલે કે શૂન્યથી શિખર સુધીની જર્નીને સમજવી પડશે. સૂર્ય જ્યારે અસ્ત થાય છે ત્યારે તે લાલ રંગનો હોય છે અને ઊગતો સૂર્ય કેસરી રંગનો હોય છે.મારી પાસે આંકડાઓ નથી પરંતુ મારું માનવું છે કે ત્રિપુરામાં ચૂંટાયેલી ટીમ એ સૌથી યંગ ટીમ છે. તેમાંના કેટલાકને તો એવો ડર હતો કે ઉંમરના કારણે કદાચ તેમને રિજેક્ટ કરી દેવામાં આવશે. આવા યુવાન ઉમેદવારો જનતાનો વિશ્વાસ જીતવામાં સફળ રહ્યાં છે. નોર્થ ઇસ્ટના લોકોને લાગતું હતું કે દિલ્હી તેમનાથી દૂર છે, પરંતુ અમે એવી પરિસ્થિતિ ઊભી કરી કે દિલ્હી આજે પોતે ચાલીને નોર્થઇસ્ટના દરવાજે આવીને ઊભી રહી ગઇ. કેરળ હોય, બંગાળ હોય કે કર્ણાટક, 2 ડઝન પાર્ટી કાર્યકર્તાઓની હત્યા કરવામાં આવી. જ્યારે તે લોકો સીધી રીતે ન લડી શક્યા તો તે લોકો આટલા નીચે ઉતરી ગયા. તે છતાંપણ અમે મૌન રાખ્યું. જ્યારે અમે લોકો કોઇ કાર્યવાહી કરીએ છીએ તો તે લોકો કહે છે ‘પ્રતિશોધ’. આ કોઇ પ્રતિશોધ નથી પરંતુ દેશની સુખાકારી માટે લીધેલું પગલું છે.લોકોએ અફવાઓ ફેલાવી, કન્ફ્યુઝન ઊભા કર્યા પરંતુ લોકશાહી દ્વારા તેમને ઉત્તમ જવાબ આપવામાં આવ્યો. કોંગ્રેસ પાર્ટીનું કદ આટલું નાનું ક્યારેય નહીં થયું હોય જેટલું આજે થયું છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.