ગુજરાતનાં રાજકારણમાં ઘણી દંતકથાઓ ચાલે છે. ૨૦૦૨ સુધી એવું કહેવાતું કે, જે પાર્ટીનો ધારાસભ્ય ગાંધીનગરમાથી જીતે એ સતાપર ન બેસે પણ ૨૦૦૨થી નરેન્દ્ર મોદીએ એ ગણિત ઊંધું પાડ્યું એમનાં ધારાસભ્ય ગાંધીનગરથી જીત્યા અને એ સરકારમાં બેઠાં
આવુજ કહેવાય છે ગુજરાતનાં ગૃહપ્રધાનો માટે ૧૯૮૫માં પ્રબોધ રાવલના જમાનાથી એવી વાયકા બની હતી કે હોમ મીનીસ્ટર હોય એ હરીજ જાય અલબત આ વાયકા ૧૯૯૮ સુધી સાચી હતી પણ છેલ્લાં ૨૨ વર્ષથી વાતાવરણ બદલાયું છે.
૨૦૦૨માં હોમ મીનીસ્ટર માંથી રેવન્યુ મીનીસ્ટર બનેલા હરેન પંડ્યાને ભલે ટીકીટ ન અપાઈ પણ એમનાં અનુગામી ગોરધન ઝડફિયા હોમ મીનીસ્ટર થયાં અને એ ૨૦૦૭માં ફરી ચુંટાયા હતા. ૨૦૧૨માં મોદી સામે પડ્યાએ જુદી વાત છે તો વળી અમિત શાહ પણ એવા ગૃહપ્રધાન રહ્યા છે કે જે ૨૦૦૭ અને ૨૦૧૨ બને ચુંટણીઓ ગૃહપ્રધાન હોવા છતાં જીતી છે કારણકે આ લોકોને ગૃહપ્રધાન હોવા છતાં સોશિયલ એન્જીનીયરીંગ કરતાં આવડે છે એટલેજ જીત્યા છે આવુજ સોશિયલ એન્જીનીયરીંગ પ્રદીપ સિહ જાડેજાને આવડે છે ૧૯૯૮માં પહેલીવાર અસારવાથી ચુંટણી લડ્યા ત્યારે જ્ઞાતિનો કોઈ આધાર ન હતો અહી પટણી અને પટેલોનું વર્ચસ્વ હતું પટેલ ઉમેદવારને કાપી ક્ષત્રીય તરીકે પ્રદીપ સિહને ટીકીટ મળી અને એમણે ચુંટણીની ચેસમા એવા ચોકઠાં ગોઠવાયા કે જીતી ગયા સતત જીતતા રહ્યા
[slideshow_deploy id=’18273′]
૨૦૧૨માં સીમાંકન બદલાયા કોંગ્રેસની તાકાતવાળી સીટ પરથી ચુંટણી લડ્યા અને ગોરધન ઝડફિયાની જેમ એમણે સોશિયલ એન્જીનીયરીંગ કર્યું છે યુવા મતદારોને જોડે રાખી બુથ મેનેજમેન્ટ કર્યું છે કે ચુંટણીમાં હારી ન જવાય, એટલુજ નહી એમનાં પ્લાનિંગથી મ્યુનિસિપલ કાઉન્સીલર પણ ૨૦૧૫ની ચુંટણીમાં જીતીને આવ્યા છે એ બતાવે છે કે ચુંટણી ની ચેસમાં ચોકઠાં ગોઠવનાર પ્રદીપ સિહ આ વખતે પણ છેલ્લા બે ગૃહપ્રધાન ગોરધન ઝડફિયા અને અમિત શાહની જેમ ચુંટણી જીતી ૨૨ વર્ષની પરંપરા જાળવે તો નવાઈ નહી.