રાજકોટ-૬૯ની બેઠક ખુબજ મહત્વ પૂર્ણ છે આ બેઠક પર કોંગ્રેસ તરફથી ઇન્દ્રનિલ રાજ્યગુરૂને ઉભા રાખવામાં આવ્યા છે આજે તેમનું ફોર્મ રદ થયાના સમાચાર આવ્યા હતા દોડધામ મચી જવા પામી હતી. ઇન્દ્રનીલે જણાવ્યું કે ફોર્મમાં તારીખમાં થોડી ભૂલ હતી, જે અમે નિયત સમયમાં બીજુ સોગંધનામું રજૂ કરી સુધારી દીધી હતી, આ વાતની જાણ ભાજપને થતા તેમના કાર્યકર્તાઓ સાથે ક્લેક્ટર કચેરી પહોંચી ગયા હતા, જો કે આ દરમિયાન કોંગ્રેસ તથા પોલીસ સાથે ઘર્ષણ સર્જાતા વાતાવરણ તંગ બન્યું હતું.
રાજકોટ પશ્ચિમ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજગુરુના ઉમેદવારી ફોર્મના સોગંદનામામાં ભુલ હોવાનો મામલે રાજકારણ ગરમાયું છે, ઇન્દ્રનીલ રાજગુરુએ નવું સોગંદનામું રજૂ કર્યા બાદ પણ ભાજપે વિરોધ ઉઠાવ્યો હતો, બીજી બાજુ ચૂંટણી પંચે ઇન્દ્રનીલ રાજગુરુના ફોર્મ સામે વાંધો ઉઠાવતા કોંગ્રેસના કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો. ચૂંટણી પંચે હજુ ઇન્દ્રનીલ રાજગુરુનું ઉમેદવારી ફોર્મ માન્ય કે અમાન્ય તે હજુ સ્પષ્ટ નથી કર્યું, કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.
રાજકોટ પશ્ચિમ બેઠકને લઈને ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષ અત્યારે પોતપોતાના ઉમેદવારોને લઈને છેલ્લી ઘડીમાં કોઈ ફેરફાર થાય તેવું ન ઈચ્છે હવે જોવાનું એ છે કે આવનારા સમયમાં શું નિર્ણય આવશે