મુંબઇઃ રિઝર્વ બેન્કે વ્યાજદર સ્થિર રાખવા છતાં ભારતીય શેરબજારમાં સતત બીજા દિવસે સુધારો જોવા મળ્યુ છે. આજે બુધવારે સેન્સેક્સ 460 પોઇન્ટ વધીને 49661ના મથાળે બંધ થયો હતો. તો નિફ્ટી 135 પોઇન્ટની મજબૂતીમાં 14819ના સ્તરે બંધ થયો હતો.
આજે સેન્સેક્સના 30માંથી 27 બ્લુચિપ સ્ટોક વધ્યા હતા. જેમાં એસબીઆઇ સવા બે ટકા, આઇસીઆઇસીઆઇ બેન્ક, નેસ્લે, ઇન્ડ્સઇન્ડ બેન્ક તેમજ મહિન્દ્રા-મહિન્દ્રાના શેર બે ટકા વધ્યા હતા. તો એકલા આઇસીઆઇસીઆ બેન્ક અને એસબીઆનો શેર વધવાથી સેન્સેક્સને 100 પોઇન્ટનો લાભ થયો હતો. સેન્સેક્સના જે ત્રણ શેર ઘટ્યા હતા તેમાં એચયુએલ, એનટીપીસી અને ટાયટન સાધારણથી પોણા ટકા જેટલા ડાઉન હતા. આજની રિકવરીની ચાલમાં બેન્ક નિફ્ટી 489 પોઇન્ટ વધીને 32991ના સ્તરે બંધ થયો હતો જે બે દિવસ પછીનો પહેલો સુધારો છે..
બોર્ડર માર્કેટમં આજે મિડકેપના પોણા ટકાના સુધારા સામે સ્મોલકેપ ઇન્ડેક્સ 1.3 ટકા વધ્યો હતો. સાર્વત્રિક સુધારાના આ માહોલમાં પાવર ઇન્ડેક્સને બાદ કરતા તમામ ઇન્ડાઇસિસ વધ્યા હતા. જેમાં ઓટો ઇન્ડેક્સ સૌથી વધુ 1.7 ટકા, બેકેક્સ 1.6 ટકા, ટેલિકોમ 1.6 ટકા, મેટલ દોઢ ટકા, આઇટી, ટેક, રિયલ્ટી, ઓઇલ-ગેસ 1-1 ટકા જેટલા વધ્યા હતા.
આજે શેરબજારમાં સુધારાના સહારે બીએસઇની માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ બની હતી. આજે બીએસઇ ખાતે 1837 કંપનીના શેરમાં સુધારા સામે 1111 કંપનીના શેર ઘટીને બંધ થયા હતા. આજે બીએસઇ ખાતે લિસ્ટેડ તમામ કંપનીઓની માર્કેટ વેલ્યૂએશન વધીને 208.24 અબજ ડોલર થઇ હતી જે ગત ગુરુવારે 206.35 લાખ કરોડ રૂપિયા થઇ હતી.