વડતાલ તાબાના જૂનાગઢના સ્વામિ નારાયણ મંદીરમાં આજ રોજ ચૂંટણી યોજાઈ હતી. મતદાન પુરું થયા પછી સત્તાધારી આચાર્ય પક્ષે દેવપક્ષના સંતો અને હરીભક્તો પર હુમલો કરાવ્યો હતો. દેવપક્ષના સંતોએ જણાવ્યું હતું કે સ્વામી પર હુમલો કરવામાં આલ્યો છે. મતદાન પુરુ થયા પછી પોલીસે મીડિયા પર હુમલો કર્યો હતો.
પ્રત્યક્ષદર્શી જણાવ્યું હતું કે ગઢડામાં હારેલા આચાર્ય પક્ષે જૂનાગઢમાં પણ હાર ભાળી જઈને અને સ્વામિ પર હુમલો કર્યો છે. દેવ પક્ષના કે.પી. સ્વામિએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે આચાર્ય પક્ષ ગઢડાની જેમ અહીંયા પણ હાર ભાળી ગયા હોવાથી અમારા વિવેક સાગર સ્વામિ પર હુમલો કરાવ્યો છે. આ આ ઘટનાની પોલીસ ફરિયાદ કરીશું.
જોકે, અંતે મતદાન બાદ પોલીસે ઘટના સ્થળે રહેલા મીડિયા કર્મીઓ પર હુમલો કર્યો હતો. પોલીસે ઘટના સ્થળ પર એક મીડિયા કર્મીને લાફો ઝીંકી દીધો હતો. પોલીસની આ કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા હતા. પોલીસે મીડિયા પર લાઠી ચાર્જ પણ કર્યો હતો.