અાજે મતદાન એટલે લોકશાહીનો પવિત્ર ઉત્સવ. સામાન્ય નાગરિકોની સાથે સાથે સંતો મહંતો પણ મતદાન કરી તેમની ફરજ અદા કરી રહ્યા છે. વડોદરાના અટલાદરા ખાતે આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સંતોએ વહેલી સવારે આવીને સમૂહમાં મતદાન કર્યુ હતુ. આ અંગે સંતોએ જણાવ્યું હતું કે મતદાન એ દેશના નાગરિકોની ઉત્તમ ફરજ છે અને સૌએ મતદાન કરવું જ જોઈએ. સર્વે સંતોએ સાથે મળીને વહેલી સવારે આવીને મતદાન કરવાની ફરજ નિભાવી હતી. આ પ્રમાણે ગુજરાતમાં દરેક જગ્યાએ સંતો મતદાન કરશે.
ઉલ્લેખનીય છે કે હાલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાનું મતદાન થઇ રહ્યું છે. અને આજના મતદાન પછી 18મી ડિસેમ્બરના રોજ પરિણામો જાહેર થશે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.