શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સરદાર પટેલ શ્રીની 142મી જન્મ જયંતિ નીમીતે સવારે ૯-3૦ કલાકે સરદારશ્રી ની પ્રતિમા ખાતે સરદાર વંદના તેમજ સરદાર પટેલ શ્રી ને પૂષ્પાંજલી અર્પણ કરવામાં આવેલ. આ પ્રસંગે શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી જે.ડી. પરમાર , જનરલ મેનેજર , સરદાર પટેલ શ્રી પરની નાટ્યક્રુતિ ટીમના કલાકારો તથા ટ્રસ્ટના અધિકારી, કર્મચારી, સાથે તીર્થ પુરોહિતો,દર્શનાર્થીઓ વિગેરે જોડાયા હતા. 13મી નવેમ્બરના સરદાર શ્રી એ શ્રી સોમનાથ ખાતે નુતન દેવાલયના ઝીર્ણોધ્ધાર કરવાના સંકલ્પની નાટ્ય સ્વરૂપની ઝાખી કરવામાં આવેલી. આ નાટ્ય સ્વરૂપની ઝાખી નિહાળી સૌ ધન્ય બન્યા હતા. શ્રી સોમનાથમાં સરદાર ચોક ખાતે જય સોમનાથ ,જય સરદાર નો નાદ ગુંજી ઉઠ્યો હતો.
આ સાથે જ આવા જન જાગૃતિના કાર્યક્રમો અવાર નવાર યોજાય છે. ખુબ સફળ થાય છે લોકો પસંદ કરે છે.