પંચાંગ અનુસાર 30 ઓક્ટોબર 2020 પૂર્ણિમાની તિથિ છે. આ પૂર્ણિમાની તિથિને શરદ પૂર્ણિમા કહેવામાં આવે છે. શરદ પૂર્ણિમા કૌમુદી વ્રત, કોજાગરી પૂર્ણિમા અને રાસ પૂર્ણિમાના નામોથી પણ જાણીતી છે.પૌરાણિક માન્યતાઓ અનુસાર ભગવાન શ્રી કૃષ્ણએ શરદ પૂર્ણિમાએ જ મહારાસ રચ્યો હતો. એવી ધાર્મિક માન્યતા છે કે શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રની કિરણોમાંથી અમૃતના ટીપાં પૃથ્વી પર પડે છે. શરદ પૂર્ણિમાની રાત્રે ખીર બનાવવાની પરંપરા છે. પૂર્ણિમાની રાતને ચાંદની રાત પણ કહેવામાં આવે છે. આ દિવસે ચંદ્ર ખૂબ જ સુંદર લાગે છે.
- શરદ પૂર્ણિમા તિથિ પ્રારંભ: 30 ઓક્ટોબર 2020 સાંજે 07 વાગીને 45 મિનિટ
- શરદ પૂર્ણિમા પર ચંદ્રોદય: 30 ઓક્ટોબર 2020 ના રોજ 07 વાગીને 12 મિનિટ
- શરદ પૂર્ણિમા તિથિ સમાપ્ત: 31 ઓક્ટોબર 2020 રાત્રે 8 વાગીને 18 મિનિટે
શરદ પૂર્ણિમાના વ્રતને વિશેષ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શરદ પૂર્ણિમાનુ વ્રત રાખવાથી રોગમાંથી મુક્તિ મળે છે. જે લોકો ગંભીર રોગોથી પીડાય છે તેમના માટે શરદ પૂર્ણિમાનું વ્રત ખૂબ ફળદાયક માનવામાં આવે છે. વિશેષ વાત એ છે કે શરદ પૂર્ણિમા પર સાંજે ખીર બનાવવામાં આવે છે અને આ ખીરને રાત્રે ચંદ્રની ચાંદનીમાં રાખવામાં આવે છે. બીજા દિવસે આ ખીર પ્રસાદ તરીકે ગ્રહણ કરવામાં આવે છે. શરદ પૂર્ણિમાનુ વ્રત સંતાનના લાંબા આયુષ્ય માટે રાખવામાં આવે છે, આ વ્રત સુખ અને સમૃદ્ધિ લાવે છે. શરદ પૂર્ણિમા પર, તાંબા અથવા માટીના કળશ પર વસ્ત્રથી ઢંકાયેલ લક્ષ્મીની પ્રતિમા સ્થાપિત કરીને પૂજા કરવામાં આવે છે. આ દિવસે ઘીના 100 દીવા પ્રગટાવવામાં આવે છે. આ કરવાથી ઘરમાં લક્ષ્મીજીનો આશિર્વાદ મળે છે અને નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે.