પહેલાં અહમદ પટેલને બચાવવા એડીચોટીનું જોર લગાવનાર શક્તિ સિંહ કોંગ્રેસમાં મજબુત થતાંની સાથે જ દક્ષીણ ગુજરાતના કદિર પીરઝાદાના પેટમાં તેલ રેડાયું છે.
શક્તિ સિંહે પોતાની વિધાનસભાની બેઠક અબડાસા પર મતદાતા અને કોંગી કાર્યકર્તાઓ સાથે દિવાળીનું સ્નેહ મિલન કરી રહ્યા હતા ત્યારે કદિર પીરઝાદા દિલ્હી પહોચી શક્તિ સિંહના માંડવામાં કાતર મારવા બેઠાં હતા. કદિર પીરઝાદા આમતો ચૂંટણી હારવામાં નિષ્ણાત છે એટલે ઘણાં સમયથી ચૂંટણી લડે છે અને હારી જાય છે. ગઈ વખતે ૨૦૧૨માં ચૂંટણી લડ્યા ત્યારે એમણે મુસ્લીમ મતદારોની સાથે સાથે બીજાની ઉપર ગિલેટ કરવામાં માહિર છે એટલે એમણે કોંગીનેતા મનીષ ગીલીટવાલાનો એક દારૂની પાર્ટીનો વિડીયો ૨૦૧૧માં વાયરલ કર્યો હોવાનું કોંગ્રેસીઓનું કહેવું છે જેના કારણે સુરત (ઇસ્ટ) ની સીટ પરથી મનીષ ગીલીટવાલાએ અપક્ષ ઉભા રહી એક મેસેજ તો આપીજ દીધો હતો કે કોંગ્રેસ એમના સમાજને અવગણેએ એટલે એનો સીધો ફાયદો થયો એટલું ઓછુ હોય એમ સુરત ઈસ્ટમાં ગોલા જ્ઞાતિનું પ્રભુત્વ છે. પરંતુ કદિરને કોઈ પરવા ન હતી એટલે કાશીરામ રાણાના દીકરાને અવગણવાનું શરુ કર્યું એની સાથે કાશીરામના દીકરા દીપકે જી.પી.પી.માંથી ફોર્મ ભર્યું, ભાજપ વિરોધી ગોલા વોટ અહી આવવાને બદલે ભાજપ તરફ વળ્યો.
ચૂંટણી હારવામાં માહિર કદિર પીરઝાદા એ હવે જોયુકે સુરતમાં એની દાળ ગળે એમ નથીલે કોંગ્રેસનો ગઢ બની ગયેલી અબડાસા સીટ માટે એની દાઢ સળકી છે. કારણકે અહી મોટા પાયે મુસ્લીમની વસ્તી છે અને આહીર તથા દરબારની વસ્તી છે અને આ તમામ કોંગ્રેસ તરફી છે આ સજોગોમાં શક્તિ સિંહને ત્યાંથી હટાવવા માટે કદિર પીરમીદાએ ખાસ રીપોર્ટ તૈયાર કર્યો છે. જેમાં જીતુવાઘાણી સામે ભાવનગરમાં શક્તિ સિંહ એકજ નેતા જીતી શકે એવો રીપોર્ટ બનાવ્યો છે જેથી શક્તિ સિંહને ભાવનગરમાં મૂકી શકાય તો બીજી તરફ સુરતના રાજકારણમાં સળવળાટ કરી પોતાનું વર્ચસ્વ જાળવવા માટે લોકસભામાં સારો દેખાવ કરનાર નૈશદ દેસાઈનું નામ આગળ કર્યું છે જયારે સુરતના કાર્યકર્તાઓમાની રહ્યા છે કે નીતિન ભરૂચા અથવા ફિરોજ મલિકને ટીકીટ અપાય તો આસપાસની બે સીટ સુરત નોર્થ અને કામરેજ પર ભાજપની નારાજ લોકોનો કરંટ કોંગ્રેસને મળે એમ છે. પરંતુ શક્તિ સિંહ માટે ભાવનગર સાનુકુળ હોવાનો રીપોર્ટ આવ્યો એ જેના સાથે કોંગેસના ઘણાં લોકો સહમત થયા છે. આ જોતા કદિરે નવો ખેલ નાખ્યો છે. કારણકે એ જે ખાનદાનમાંથી આવે છે એના વડવા સુફી પીર હતા અને કચ્છનાં અબડાસામાં પીરના મુરીદો ઘણા છે. આ મુરીદો સીધા પીરઝાદાને વોટ આપશે એવી એની રજૂઆત કરી છે.
દક્ષીણ ગુજરાતથી 550 કીમી દુર જઈ અબડાસામાં કેટલાં કાંદા કાઢશે એની કોઈ કોંગ્રેસીને ખબર નથી એટલે કદિર કેટલું કાઠું કાઢે છે એ આવનારો સમય જ કહેશે.